SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન કઈ પણ ધર્મ એકાએક ઊભે થાય નહિ, વ્યવસ્થિત થાય નહિ. એ ભલે અમુક મહાપુરુષના નામ સાથે જોડાય, પણ ખરી રીતે એનાં મૂળ છે તેથી પણ ઊંડાં હોય છે; તે દેશ કે તે કાળમાં પણ એ મૂળ ભલે ન હોય, પણ અન્યત્ર જરૂર હોવાની જ. પણ જે મહાપુરુષ તે મૂળને પકડીને તેની આસપાસનાં જાળાં-ઝાંખરાં હટાવીને તે તરફ આંગળી ચીંધે છે તે જ તે ધર્મને પ્રવર્તક કહેવાય છે. એમ વિચારીએ તો જૈનધર્મનાં જે શાસ્ત્રો છે તે ભગવાન મહાવીર પછીનાં જ છે; તે પૂર્વેનું કોઈ સાહિત્ય આપણી સમક્ષ નથી. તેથી તે પૂર્વને જનધર્મની પરિસ્થિતિ વિષે જે કાંઈ શાસ્ત્રીય સંકેત મળે છે તે, તે શાસ્ત્રમાં જ મળે છે. હિંદુધર્મની જેમ જૈનધર્મને આદિકાળ જ્ઞાત નથી થઈ શકતા એટલે એ કાળની વાત જવા દઈએ; પણ જેનાગામથી ફલિત થતા જૈનધર્મનાં સામાન્ય તો વિષે કેટલીક માહિતી મેળવીએ. અહિંસા અને સંન્યાસ હિંદુધર્મના મહાભારતકાળ પર્યત તે સ્પષ્ટ છે કે તેમાં જેટલું મહત્વ સને આપવામાં આવ્યું છે તેટલું મહત્વ અહિંસાને અપાયું નથી. આ વસ્તુ અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વિષે પણ છે. ઉપનિષદના મહર્ષિઓ પણ અપરિગ્રહમાં માનતા હોય એમ લાગતું નથી. ઋષિઓના અબ્રહ્મચર્યની કથાઓનો તોટો નથી. તે કાળે તેવા અહ્મચર્ય વિષે ધર્મગ્રંથોમાં કશી જ ટીકા થઈ નથી. વળી, બ્રહ્મચર્ય એ સંન્યાસ આશ્રમમાં છેક જીવનની અંતિમ અવસ્થામાં અનિવાર્ય જેવું છે. બ્રાહ્મણોને વિષે તો કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વની રચના કરીને બ્રહ્માએ એ સૃષ્ટિ બ્રાહ્મણને જ સમપી છે. તેમની કમજોરીને કારણે બીજા માલિક બની બેઠા છે, માટે બ્રાહ્મણ અણદીધેલું લઈ લે તે તેમાં કાંઈ તે ચોરી કરે છે એમ નથી; એ તે પિતાની જ વસ્તુ પોતે લેતા હોય છે. આમ પાંચ યમોમાં માત્ર સત્ય વિષે ભાર હિંદુધર્મમાં પ્રાચીન કાળમાં જોવા મળે છે. પણ આથી ઊલટું, જ્યારથી જૈનધર્મને ઈતિહાસ જાણવા મળે છે ત્યારથી અહિંસા એ જ પરમ ધમ છે એમ મનાયું છે. અને એ અહિંસામાંથી સત્ય આદિને ફલિત થતાં બતાવવામાં આવ્યા છે. અને અહિંસાપ્રધાન પાંચે યમે સરખી રીતે પાળવા આવશ્યક મનાય છે. જીવનમાં સંન્યાસ અંતિમ કાળે નહિ, પણ જ્યારે પણ ધર્મ સમજાય અને પાલનની શક્તિ દેખાય ત્યારે લઈ શકાય છે. આથી જીવનના યૌવનકાળમાં રાસ . જે માં વિશેષ મહત્વે અપાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy