SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જનધર્મચિંતન રાગ-દ્વેષનું કારણ રહેતું નથી અને સમભાવની સાધનામાં તે દત્તચિત્ત રહે છે. એક ભક્તપુરુષને શ્વાન અને ચાંડાલમાં પણ સમભાવ જ હોય છે, ઘણાને અવકાશ રહેતો નથી. સ્પૃસ્યાસ્પૃશ્ય વિચાર, એ સ્માત ધર્મના અવશેષરૂપે હિંદુસમાજમાં—ખાસ કરી જ્યાં બ્રાહ્મણોને પ્રભાવ છે ત્યાં જ વિશેષ છે, પણ જ્યાં બ્રાહ્મણ–પ્રભાવ ઓછો છે ત્યાં તે પણ મંદ છે. સાર એ છે કે ગીતાને સામ્યયોગ એ હિંદુધર્મનું એક મુખ્ય લક્ષણ બની ગયું છે. તે કહેવાતા બધા હિંદુધર્મીઓમાં ન પણ જોવા મળે, પણ રામકૃષ્ણ પરમહંસ જેવા સાચા ભક્તોમાં તે અવશ્ય જોવા મળે જ. (૩) ભક્તિમાર્ગની પ્રતિષ્ઠા---ગીતામાં જ્ઞાન, કર્મ કે ભક્તિ એમાંથી કયા યોગનું પ્રાધાન્ય છે, એ બાબત અંગે વિદ્વાનોમાં ભલે વિવાદ પ્રવર્તતા હોય. પણ જીવનમાં તે તેમાંની જે એક વસ્તુ હિન્દુધર્મમાં પ્રતિષ્ઠિત થઈ છે, તે છે ભક્તિ, એમાં તે કેઈ શક નથી. હિંદુધર્મમાં ધાર્મિક અનુષ્ઠાન તરીકે આજે જે એક માગ પ્રતિષ્ઠિત છે તે ભક્તિ જ છે. અને એ ભક્તિમાં જ જ્ઞાન અને કમને સમાવેશ થઈ ગયો છે. આ ભક્તિમાર્ગને ચેપ ભારતવર્ષના બધા ધર્મોને લાગ્યો છે. જ્ઞાન–માર્ગને આશ્રય બ્રાહ્મણ જ વિશેષ રૂપે લઈ શક્તા; કર્મકાંડમાં પણ શદ્રોને અધિકાર જ ન હતા; પણ ભક્તિમાર્ગ જ એક એ છે કે જે સૌને માટે ખુલ્લે છે. એમાં જાતિ–પાંતિ કે સ્ત્રી-પુરુષના કશા પણ ભેદ વિના સૌને સરખો અધિકાર છે. આથી હિંદુધર્મમાં બહુજનસમાજમાં એ વધારે પ્રચલિત થાય એ સ્વાભાવિક હતું. (૪) લોકસંગ્રહ–ગીતાને ખાસ સંદેશ છે લોકસંગ્રહને. જેન–બૌદ્ધના એકાંત સંન્યાસ માર્ગમાં સર્વ કર્મથી વિરત થઈ ગૃહત્યાગ આવશ્યક હતું, જ્યારે ગીતાએ જણાવ્યું છે કે “સ્વધર્મ નિધન હોય ઘર મચાવ:” એટલે કે મનષ્ય પિતાને જે પ્રાપ્ત થયેલ ધર્મ હોય તેનું જ પાલન કરવું, તેમાં જ મૂક્તિ છે. જે કર્મો નિયત કરેલાં છે તે કર્મો સૌએ કરવાં; એ છોડીને જવામાં સાર નથી. કર્મથી બંધન થાય છે તેનું કારણ આસક્તિ છે, નહિ ? તે કમ. માટે આસક્તિ છેડીને, ફળની આશા વિના, પ્રાપ્ત થયેલ કર્તવ્યકર્મ cરવું એમાં જ મુક્તિ છે—ગીતાને સંદેશ હિંદુ ધર્મમાં પ્રતિષ્ઠિત થયો છે અને માથી સામાજિક વ્યવસ્થા ઊભી થવાને બદલે તેમાં સામંજસ્ય આવ્યું હોય. સાચા હિંદુધર્મમાં ઊંચનીચના ભાવને અવકાશ રહે જ નહિ–જે ગીતાના દેશને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy