SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ અને જૈનધમ ૫ લગભગ હજાર વર્ષ ચાલી છે અને પછી જે નિષ્પત્તિ થઈ તે જ આજતા હિંદુધર્મ છે. આ સમન્વયની સાધનાને કાળ ઈ. સ. ચેાથી—પાંચમી સદી સુધી ચાલ્યા. (૫) સમન્વય—હિં દુધનું અંતમાં જે સમન્વિત રૂપ ગીતાથી નિષ્પન્ન થતું તે પ્રાય: આજ સુધી જોવા મળે છે. તેમાં ઉતાર-ચડાવ ગમે તેટલા થયા પણ તેની મૂળ ભાવના, જે સમન્વયપ્રધાન હતી, તે ચાલુ જ રહી છે. તેમાં ઉત્તરાત્તર વિકાસ જ થયા છે. ગીતાને આધારે ઘડાયેલ હિંદુધર્માંનાં લક્ષણો ગીતાના વિચારના પ્રચારથી હિંદુધનું જે રૂપ નિષ્પન્ન થયું અને જે આજે પણ જોવા મળે છે, તેનાં લક્ષણા વિષે હવે વિચાર કરીએ : (૧) કૃષ્ણભક્તિ અને વિભૂતિમત તત્ત્વ—હિ દુધમ માં કેન્દ્રસ્થાને કૃષ્ણભક્તિનું જે મહત્ત્વ વધ્યું તે આજે પણ કાયમ છે. મૂળ તે। શ્રીકૃષ્ણ, એ યાદવાના આરાધ્ય હતા, પણ ધીરે ધીરે એમનેા પ્રભાવ સમગ્ર હિંદુધર્મોમાં વધ્યા. તે એટલે સુધી કે તેમની વૈદિક વિષ્ણુ સાથે એકતા સિદ્ધ થઈ, આથી મનુષ્ય અને વૈદિક દેવતાનું એકત્વ સધાયું અને એને પરિણામે હિંદુધમ માં અવતારવાદનું એક નવું તત્ત્વ ઉમેરાયું. આથી વિભૂતિસંપન્ન કાઈ પણ મનુષ્ય ઈશ્વરના અવતાર તરીકે પૂજ્યપદને પામી શકે છે, આવી ભવ્ય ભાવના ધાર્મિ કે!માં સ્થિર થઈ. પરિણામે, આપણે તેઈ શકીએ છીએ કે, જે કાઈમાં વિભૂતિનુ દર્શીન થયુ' તેવા મધ્યકાળના સંતા ઈશ્વરના અવતાર તરીકે પૂજાયા. આધુનિક કાળે ગાંધીજીને પણ એક અવતારી પુરુષ તરીકે માનનારાને તોટો નથી. આમ ઈશ્વર એ કાઈ દૂરની સદેવ પરાક્ષ વસ્તુ ન રહી, પણ આપણી સૌની વચ્ચે જે કાઈ વિભૂતિમત હોય તે ઈશ્વર જ છે અને તેની ઉપાસના એ પણ ઈશ્વરની જ ઉપાસના છે, આમ મનાવા લાગ્યું. પરિણામે સમાજને સંદેવ ઈશ્વરનું સાંનિધ્ય માણવાને અવસર મળી ગયા. (૨) જગતની ઈશ્વરમયતા——દાર્શનિક વિચારા ગમે તેવા થયા હાય, પણ ધાર્મિક પુરુષોની તા એવી જ શ્રદ્ધા છે, અને તે શ્રદ્ધા ગીતાથી જ પુષ્ટ થઈ છે ...હું, વિશ્વમાં જે કાંઈ છે તેમાં કૃષ્ણ-ઈશ્વર-પરમાત્મા સમાવિષ્ટ છે અને તે બધું ઈશ્વરથી જ નિષ્પન્ન છે. આને પરિણામે સાચા શ્રાળુ ધાર્મિક જનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy