SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ચિંતન આછા થઈ આત્મા વિશેના ચિંતન-મનનમાં રસ વધ્યા છે. અને આ સૃષ્ટિની કાંથી કેવી રીતે થઈ છે એ વિશેના નાનાપ્રકારના વિતર્કો વિના રોકટોક ચાલુ થઈ ગયા છે. ૪ આ કાળમાં આત્મવિચારમાં અગ્રણી બ્રાહ્મણ નહિ પણ ક્ષત્રિયેા હતા તે બતાવે છે કે ખરી રીતે બ્રાહ્મણેાનું વસ્વ એહ્યુ કરી ક્ષત્રિએએ જનસમુદાય ઉપર ધામિ*ક ક્ષેત્રે પણ પેાતાના પ્રભાવ જમાવવા શરૂ કર્યાં હતા. આમ બનવુ સ્વાભાવિક જ હતું. કારણ, જો કમકાંડનું મહત્ત્વ ઘટે તેા તેની સાથે બ્રાહ્મણાનુ પણ મહત્ત્વ ઘટવું અનિવાર્ય હતું. આ કાળે એક તરફ કર્માંકાંડના પ્રબળ સમક બ્રાહ્મણા હતા, તેા બીજી તરફ તેમના વિરોધમાં આત્મવિચારના સમ`ક ક્ષત્રિયેા હતા. આ બંને વર્ગો છેલ્લે પાટલે બેસીને જ્યારે પાતપુતાના મતનું સમર્થન કરતા હતા, ત્યારે પણ એવા વચલા વગ તા હતા જ કે જેને એમ લાગતું હતુ` કે આ બંને માર્ગો-યજ્ઞ અને આત્મા—માં ઘણું ઘણું' અપનાવવા જેવુ' છે, તેથી તેના આત્યંતિક વિરાધ કરવા ઉચિત નથી. યજ્ઞામાંથી જે જટિલતા દૂર કરવામાં આવે અને તેમાંથી હિંસા દૂર કરવામાં આવે, તે આત્મવાદીઓને પણ યજ્ઞના વિરોધ કરવાનું કારણ રહે નહિ. આચારમાંથી ક`કાંડનો અતિરેક દૂર કરવામાં આવે અને આત્મધ્યાન ઉપર વિશેષ ભાર આપવામાં આવે તે તેમાં કશું ખાટું નથી. પણ સમાજમાં હજુ આ વચલા મા લેનારાનું પ્રભુત્વ સ્થપાયું ન હતું. વિચાર અને આચારના ઊકળતા ચરુ એ આ ઉપનિષદકાળનું લક્ષણ કહી શકાય. એ ઉકળાટને પરિણામે જે રસાયન નિષ્પન્ન થવું જોઈએ તે હજી નિષ્પન્ન થયું ન હતું. પણ એક દિશા મળી ગઈ હતી. એટલે આ કાળને હિંદુધર્માંના સક્રાંતિકાળ તરીકે ઓળખાવી શકાય. આવી સ્થિતિ આજની લગભગ અઢી હજાર વર્ષ પહેલાં પ્રવર્તાતી હતી. (૪) સમન્વયની સાધનાના કાળ—ઉપર કહેલા સંક્રાંતિકાળમાંથી હિંદુધતુ જે રૂપ નિષ્પન્ન થયુ' તે જ રૂપ આજના હિંદુધર્માંનું પ્રવ`ક બળ છે. એ નિષ્પત્તિ એકાએક તેા થાય જ નહિ; પણ લગભગ હાર વર્ષો સુધી એ ચરુ ઊકળતા રહ્યો અને તેમાંથી જે રસાયન નિષ્પન્ન થયું તેને આપણે આજના હિ ંદુધર્માંનું રસાયન કહી શકીએ, એ રસાયનની ઝાંખી આપણને ગીતામાં મળે છે.. આથી જ હિંદુધર્મના સવર્ગોમાં ગીતા એ માન્ય ગ્રન્થ બની ગયેલ છે. હિ ધન આ કંપની વિશેષતા સમયમાં રહેલી છે. આ સમન્વયની સાધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy