SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દુધર્મ અને જૈન ધર્મ હજી તેને નિશ્ચિત ઉત્તર મળે ન હતો. સમાજરચનામાં ચાર વર્ગો હતા એ જણાય છે. હિંદુધર્મની ભૂમિકારૂપે આ પ્રકારના વેદિક ધમને મૂકી શકાય. () બાહ્મણધમ–વૈદિક ધર્મની ભૂમિકાના ઉક્ત રૂપ પછીને જે વિકારા છે તે બ્રાહ્મણધર્મને નામે ઓળખાય છે. તે એટલા માટે કે તેને આધાર વેદના પરિશિષ્ટરૂપે રચાયેલ “બ્રાહ્મણ” નામના ગ્રંથો છે. આમાં વેદના મૂળ મંત્રોને વિનિયોગ ક્યાં કેવી રીતે કરવો અને વેદમાં જે સૂચિત કથા કે ઘટનાઓ છે તેનો મેળ કેવીરીતે મેળવવો એ માટેનો પ્રયાસ છે. વેદો એ ઋષિઓ-કવિઓની રચના છે, તે બ્રાહ્મણગ્રંથે પુરહિતની રચના છે. એ પુરોહિત નો મૂળ ઉદ્દેશ એટલો જ હતો કે કર્મકાંડ, જેમાં યજ્ઞા જ મુખ્ય હતા, તેને વ્યવસ્થિત કરવા. આનું પરિણામ એ આવ્યું કે વૈદિક કાળના સીધાસાદા ય એક જટિલ કર્મકાંડરૂપે બની ગયા અને તે નિષ્ણાતોની સહાય વિના અસંભવ બની ગયા. આ કારણે સમાજમાં પુરોહિતવર્ગનું મહત્વ વધી ગયું અને તેમણે ગુરુપદ લીધું. આ ચોમાં સામગ્રી વધી ગઈ. વિધિની જટિલતા વધી ગઈ, ઉપરાંત યજ્ઞની વિવિધતા પણ વધી ગઈ. સમગ્ર સમાજને લાંબા કાળ સુધી યજ્ઞકાર્યમાં ફસાઈ રહેવા વારો આવ્યા. જાણે કે જીવન યજ્ઞમય જ બની ગયું અને યજ્ઞ એ જ પરમાત્મા અને સૃષ્ટિ પણ બની ગયું અને તેમાં બ્રાહ્મણ વર્ણ, જે પુરહિતતવગ હતો, તેનું પ્રાધાન્ય થઈ ગયું. આ સમયમાં વિચારોમાં કાંઈ વિશેષ વિકાસ થયો હોય એમ જણાતું નથી. પણ યજ્ઞમાં-કર્મકાંડમાં–જ જાણે બધું સમાઈ જતું હોય એવું વાતાવરણ સર્જાયું. આજથી ત્રણ હજાર વર્ષ પહેલાંના હિંદુધર્મનું આવું રૂપ તે બ્રાહ્મણધર્મ. (૩) સંક્રાંતિકાળ --આ પછીને કાળ તે સંક્રાંતિ કાળ છે. ઉપનિષદ કે વિદાંતને નામે ઓળખી શકાય તેવું હિંદુધર્મનું રૂપ આ કાળમાં હતું. આ જેમ ઉત્તરથી પૂર્વ તરફ આગળ વધતા ગયા તેમ તેમને ભારતીય પ્રજા સાથે સંપર્ક વધતો ગયો અને તેને પરિણામે વિચારોનું પૂર વૈદિક ધર્મમાં આવ્યું. કર્મકાંડની જટિલતા અને બ્રાહ્મણોના વર્ચસ્વ સામે એક પ્રકારને બળ જાગ્યો. પરિણામે ય ટેલ નૌકા' છે એવું એકાંતિક વલણ પણ લેનારા વિચાર પાક્યા, અને જૂને ચલ ઠાડી આચાર અને વિચારની શુદ્ધિ કરવી જોઈએ એ પ્રકારનું વલણ વધ્યું. આથી, આપણે જોઈએ છીએ કે, ઉપનિષદોમાં યશવિચાર કરતાં બ્રહ્મને વિચાર વિશેષરૂપ થાય છે, અને યજ્ઞના કમ કાંડોમાં રસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy