SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન વેદના પ્રવાહમાંથી નિષ્પન્ન થયેલ છે, એ પણ સાચુ' જ છે, છતાં પણ તેના કાયાકલ્પ એ પ્રકારના થયેા છે કે જાણે તેને જૂના સાથેને સંબંધ હોળીના હારડામાંના સૂતરના તાંતણા જેટલા જ રહ્યો છે. નવા ભાર એટલા ધેા વધી ગયા છે કે તેને એ સૂતરના તાંતણારૂપ વૈદ સંભાળી શકવા તે સમર્થ છે, છતાં પણ જાણે તેનુ કેાઈ અસ્તિત્વ દેખાતુ નથી. એટલે કે આજના હિંદુધર્માંના આચારોમાં એટલુ બધુ પરિવત ન થઈ ગયું છે કે તેમાંથી મૂળના વૈદિક આચારા પ્રાયઃ નામશેષ થઈ ગયા છે. વૈદિક આચાર યજ્ઞના હતા, પણ વેદકાલીન યજ્ઞા અને આજના યજ્ઞામાં જમીન-આસમાનનું અંતર છે. વેદકાળના યજ્ઞા આજે થાય છે ખરા, પણ તે પ્રદાન માટે; આચારના જીવનમાં વણાઈ ગયેલ આચારના–ભાગરૂપે નહિ. પ્રદાન માટે એટલા માટે કહુ છું કે પૂના જેવા શહેરમાં માત્ર તે કાળે યજ્ઞા કેવા થયા હતા તે બતાવવા ખાતર કવચિત્ જ જૂની રીતે યજ્ઞા ગાઠવવામાં આવે છે, જેથી અભ્યાસીને તેના સ્વરૂપનું જ્ઞાન થાય. એના ઉદ્દેશ, તેવા યજ્ઞાના પુનઃ પ્રચારને નહિ પણ, માત્ર ઇતિહાસની જિજ્ઞાસા સ તાષવાના હોય છે. વૈદિક યજ્ઞાના પુન: પ્રચાર શા માટે ન થાય એવી ભાવનાવાળા કરપાત્રી મહારાજે જ્યારે એ યજ્ઞા જોયા ત્યારે તેમને પણ ઉત્સાહ શમી ગયા. એ બતાવે છે વેદમૂલક છતાં અત્યારના હિંદુધ, વેદની મૂળ માન્યતાથી કેટલા આગળ વધી ગયા છે. ૬૨ આજે જેતે આપણે હિંદુધર્મને નામે ઓળખીએ છીએ, તેના ઇતિહાસના વિચાર કરીએ છીએ ત્યારે તેના પાંચ રૂપે સ્પષ્ટ થાય છે : (૧) વિદક ધર્મ-આજથી લગભગ સાડાત્રણ હજાર વર્ષ પૂર્વે, જ્યારે આર્યાં ભારતમાં આવ્યા ત્યારે, જે આચાર અને વિચાર સાથે લાવ્યા હતા તેને વૈદિક ધમ કે શ્રૌતધમ તરીકે ઓળખવામાં આવે છે. એ ધમને વિદ્યાને! માને છે તેમ, ભારત બહારના ધર્માં જે રૂપે ભારતમાં આવ્યા તે રૂપે જ સમજવા જોઈએ. એમાં આડંબર વિનાના હિંસક યના એ ધાર્મિક આચારવિધિ હતા અને વિચારામાં જોઈએ તેા અનેક દેવાની ઉપાસના તે યજ્ઞા દ્વારા થતી, પણ એવી ભૂમિકા સજાઈ ગઈ હતી કે તે બધા દેવા નામે ભલે જુદા હાય પણ તત્ત્વ તો એક જ છે. ઉપાસનાના કોઈ ઉચ્ચ ઉદ્દેશ નહિ પણ શત્રુનાશ અને ભૌતિક સોંપત્તિની વૃદ્ધિ એ હતા. પ્રાચીન વેદમાં આ વિશ્વરચના કણે, કયારે કરી, કેવી રીતે ઇત્યાદી જિજ્ઞાસાના શમન માટે ઉત્કટ પ્રયત્ન થયા હતા, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy