SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જેન આચારના મૂળ સિદ્ધાંતો નિવૃત્તિનું પ્રાધાન્ય આમ સમગ્ર આચરણના મૂળમાં સમભાવ હોવાથી અહિંસક જીવન વીતા. વવું આવશ્યક મનાયું. અર્થાત્ એ અહિંસક જીવનનો સૌથી સરળ માર્ગ એ જણાયો કે જીવનમાં પ્રવૃત્તિક્ષેત્રનો સંકોચ કર. આ દૃષ્ટિએ જૈન સાધ્વાચારના ઘડતરની પાછળ પ્રવૃત્તિના સંકાચની દૃષ્ટિ અથવા તો નિવૃત્તિપરાયણ જીવનઘડતરની દષ્ટિ પ્રધાન બની જાય એ સ્વાભાવિક છે. અને એ દષ્ટિએ જ સમગ્ર સાધ્વાચારનું ઘડતર પ્રારંભિક કાળમાં થયું છે. એની સાક્ષી આચારાંગ જેવા ગ્ર આપે છે. પણ અહિંસક જીવનઘડતરની આ એક બાજુ છે, અને સામાન્ય રીતે સૌનું ધ્યાન આ તરફ જ જાય છે અને એને લઈને સામાન્ય ધારણા એવી થઈ ગઈ છે કે જેનધર્મ નિવૃત્તિપરાયણ છે. પણ ખરી રીત, સમગ્રભાવે જૈનધર્મને વિચાર કરવામાં આવે તે વસ્તુસ્થિતિ અન્ય પ્રકારની હોવાનું માલૂમ પડશે. જૈન ઇતિહાસના અન્વેષકને જિનક૯પ અને સ્થવિરકલ્પનો ખ્યાય હોય જ. એ સાચું છે કે જિનકલ્પમાં જીવન એકાંત નિવૃત્તિપરાયણ જ હોય છે. પણ વિરપને સાધ્વાચાર, જીવનમાં પળે પળે પ્રશ્ન ઉપસ્થિત થતાં, ક્રમે કરી જે ઘડાયો છે તે જોતાં એને નિવૃત્તિપરાયણ કહે એ નિવૃત્તિનો અર્થ ન સમજવા જેવું જ બને. એકાકી વિચરનાર જિનકલ્પી તે પોતાના અંતિમ જીવનમાં જ એ કલ્પને સ્વીકારતા અને મરજીવા થઈને નીકળી પડતા. એમની સાધના એકાંત નિવૃત્તિપરાયણ હતી. એ મરણથી નિર્ભય બની વિચારતા, એટલે સ્વયં કષ્ટો સહન કરવા તૈયાર જ હતા; પણ બીજાને કષ્ટ આપવા કદાપિ તૈયાર ન થતા. પણ એવા કલ્પને સ્વીકારનાર કેટલા ? એમના કાંઈ સંઘ હતા નહિ અને તેમને પ્રવચનવિસ્તાર કરતાં આત્મવિસ્તારની વધારે ખેવના હતી. એટલે તેઓ મૃત્યુને વરીને પણ નિવૃત્તિપરાયણ જીવન ટકાવી રાખતા. પણ સ્થવિરકલ્પમાં તે સાધકના સંધે હતા-શ્રમણ અને શ્રમણીઓના. એ સંઘોને લઈને રહેવાના, ખાવા-પીવાના, કપડાંના, વિહારના. ચિકિત્સા તથા સુરક્ષાના, ધર્મના પ્રચારના અને તેને ટકાવી રાખવાના–એમ નાનાવિધ પ્રશ્નો પ્રતિદિન ઉપસ્થિત થતા. એમાંથી તે તે કાળે સાધુસંસ્થાએ જે માર્ગ સ્વીકાર્યો છે તેને એકાંત નિવૃત્તિપરાયણ તેઓ જ કહી શકે, જેઓ જૈન સાધુસંસ્થાને ઈતિહાસ , જાણતા નથી, અગર જેઓએ છેદગ્રન્થ અને એના ટીકાગ્રન્થો જોયા નથી.' 1. જુઓ મેં લખેલ નિશીથચૂર્ણની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy