SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈનધર્મચિંતન કહેવામાં આવ્યું છે કે જગતના જીવનમાં એવો કોઈ નથી, જેને પીડા પસંદ હોય. આપણને પિતાને પણ પીડા પસંદ નથી, તે પછી આપણે બીજા જીવને શા માટે પીડવા ? તેમની પ્રતિક્રાનિ વરઘાં ન સમાવજેતૃ-પિતાને પ્રતિકૂળ હેય એવું આચરણ બીજા પ્રત્યે ન કરવું–આ દૃષ્ટિ તે આત્મૌપમદષ્ટિ. આ દષ્ટિએ આચરણનું ઘડતર કરવામાં આવે તો જીવનમાં આપોઆપ મહાવ્રતોને ઉતાર્યા સિવાય છૂટકે નથી. આચરણ સારું છે કે નરસું એની પરીક્ષા આ આભૌમ્યદષ્ટિથી કરવાની રહે છે. આને જ બીજા શબ્દોમાં આપણે ત્યાં સામાયિક કહેવામાં આવે છે. જીવો પ્રત્યે સમભાવ રાખી–બધા જીવો મારી જેવા જ છે, એમ માની–સાવધ પ્રવૃત્તિને ત્યાગ કરવો તે સામાયિક છે. અને એ સામાયિક વ્રતને જ વિસ્તાર પાંચ મહાવ્રત છે. એક સામાયિક સાધવાથી સકલ સિદ્ધ થાય છે અને જો એ નહિ તે જીવનમાં કશું જ નહિ : આ રીતે જૈન આચરણના પાયામાં સામાયિક વ્રત રહેલું છે. આત્મૌપમદાષ્ટિથી એમ તો નક્કી કર્યું કે સ્વાર્થસિદ્ધિ અથે બીજા જીવને પીડા આપવી એ સદાચાર નથી. પણ જૈન તત્વજ્ઞાન તે કહે છે કે સમગ્ર લેકમાં : જી ભર્યા પડ્યા છે. શ્વાસે શ્વાસની ક્રિયા, જેના વિના જીવન ટકાવવું દુર્લભ બને છે, તે પણ બીજા જીવોને પીડાજનક બને છે. આવી સ્થિતિમાં અહિંસક કેમ રહી શકાય ? સમભાવની સિદ્ધિ કેવી રીતે થાય ? આ પ્રશ્નનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું કે ચર, 1 વિ. ૩થમ ગ સ . ___जय भुजता भासते। पावकाम न बधई ॥ અર્થાત યતનાપૂર્વક આચરણ કરવાથી પાપકમનો બંધ થતો નથી. વતનાનું બીજ નામ છે અપ્રમાદ. આચારાંગમાં વારે વારે કહેવામાં આવ્યું છે કે પ્રમાદ એ હિંસા છે; આથી જગૃતિ એ અહિંસા છે. આ સિવાય અહિંસાને બીજે ઉપાય હતો નહિ. આથી સાવધાની, અખલન, સતત જાગૃતિ, અહિંસક રહેવાની તમન્ના–આ બધું મળીને અપ્રમાદ થાય; અને જે તે હોય તે બીજા ઉછવને પીડા થાય છતાં, તમે પીડાની બુદ્ધિથી પીડા નથી આપી એ દષ્ટિએ, તમે અહિંસક છે, આમ માનવામાં આવ્યું. એટલે આચરણના મૂળમાં અપમ્ય સાથે અપ્રમાદને પણ સ્થાન મળ્યું. આમ સતત જાગૃત પુરુષ આત્મીપપ્રદકિટ. સંપન્ન હોય તે તેનું આચરણ સદાચાર ગણાય, સચ્ચરિત્ર ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy