SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચારના મૂળ સિદ્ધાંતા ૪૯ શ્રદ્દા અથવા દષ્ટિ શુદ્ધ થવી આવશ્યક છે. દૃષ્ટિ શુદ્ધ થયે જ જ્ઞાન સમ્યગ્ કહેવાય છે. અપ્રતિભાસરૂપ જ્ઞાન તે સ કાઈ કરે જ છે. પણ એ જ્ઞાન આધ્યાત્મિક પરિભાષામાં સમ્યગૂ ત્યારે જ કહેવાય છે, જ્યારે મનુષ્ય વસ્તુનું મૂલ્યાંકન કરતાં શીખે, એ મૂલ્યાંકન લૌકિક દષ્ટિએ નહિ પણ આધ્યાત્મિક દૃષ્ટિએ થવું આવશ્યક છે. એટલે કે મેાક્ષપ્રાપ્તિની દૃષ્ટિએ હુંયાપાદેયને વિવેક કરવા અનિવાય છે. એવા વિવેક વિનાનું જ્ઞાન સભ્યજ્ઞાન કહી શકાય નહિ. અને એવા સમ્યજ્ઞાન વિનાને આચાર એ સદાચાર યા સમ્યગ્ આચાર કહી શકાય નહિ. આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન વિનાના આચાર એ ગધેડા ઉપરના ચંદનના મેાજ જેવા છે. એની ગંધના આસ્વાદ એ શું જાણે ? પણ બીજે પક્ષે જ્ઞાન એટલે શું અને એની મર્યાદા શી, એટલે કે જ્ઞાનનુ પરિમાણ કેટલું ?આ વિષે કહેવામાં આવ્યું છે કે આચરણ માટે સમગ્ર વસ્તુએનું તત્ત્વજ્ઞાન આવશ્યક નથી, પણ જેના ઉપયોગ આચાર માટે આવશ્યક છે તેટલુ જ્ઞાન જરૂરી છે. જ્ઞાન એટલે ઓછામાં એછે. આત્મ-અનાત્મવિવેક તે હોવા જ જોઈએ. પણ એ વિવેક સાક્ષાત્કાર કેાર્ટિને નથી સમજવાનો. પણ સંસારના અભિરુચિને બદલે મોક્ષની અભિરુચિ પ્રબળ અને એટલે વિવેક જરૂરી છે. સંપૂર્ણ જ્ઞાન તે। મહાવ્રતાના અને તપસ્યાના પરિણામે થાય છે અને તે સાક્ષાત્કારરૂપ હોય છે; અને એ જ્ઞાન પાઠ્ઠું સંપૂર્ણ ચારિત્ર્યનુ` કારણ બને છે. આ ષ્ટિએ ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા'માં જ્ઞાનનેા અથ આત્મ-અનાત્મવિવેક સામાન્યરૂપે સમજવા જોઇએ, સાક્ષાત્કારરૂપ નહિ. એવા વિવેક પ્રાપ્ત થતાં મનુષ્યની રુચિ મેક્ષ પ્રતિ થાય છે અને તેને લક્ષીને તે જે ક્રિયા કરે છે, તે વડે તેને મેાક્ષ નજદીક આવે છે. આમ માનવાથી જ માસતુસજ્જ મુનિ જેવા મુનિએના આચરણની સ ંગતિ ઘટે છે. એ મુનિને શાસ્ત્રજ્ઞાન કશુ જ હતું નહિ, માત્ર મેાક્ષની તમન્ના હતી. અને ગુરુએ જે શબ્દો કહ્યા તે પણ તે યાદ રાખી શકવા નહિં, છતાં પણ મેાક્ષની તમન્નાને કારણે તેમનું ચારિત્ર બળવાન બન્યુ. અને તે મેાક્ષને પામ્યા. આત્મૌપમ્યષ્ટિ સચ્ચરિત્રના મૂળમાં જે વસ્તુ આચારાંગમાં વારવાર કહેવામાં આવી છે તે !ૌપમ્ય. અહિંસાનું પાલન શા માટે કરવું ? એના છે જવાબમાં એમ જ ૧. !! મુનિની કક્ષા માટે જુએ ઉત્તરા મા, ચેથ! ઋનની ટીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy