SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ચિંતન ન કરવી. અર્થાત્ તી કરે તેા આચારને મૌલિક સિદ્ધાંત બતાવી દીધા છે. એ સિદ્ધાંતને અનુસરી તેને અનુકૂળ એવા નિયમેનિયમે! સાધક સ્વયં ઘડી લે. આચાર્યાંનું આ મન્તવ્ય કેવળ નૈૠયિક છે; એટલે તેને શબ્દાર્થ ન લેતાં ભાવા લેવા જોઈએ. તાત્પર્ય એટલું છે કે નાના-મોટા બધા જ નિયમેાના ઉપદેશ તીર્થંકર નથી કરતા; અને એવા ઉપદેશ દેવા સ`ભવિત પણ નથી. માટે મૂળ સિદ્ધાંતને અનુસરીને આચરણના વિધિ-નિષેધાની પરીક્ષા કરી લેવી જોઈએ. ૪૮ જ્યારે અદ્વૈત પરંપરાઓનુ પ્રાબલ્ય વધી ગયું અને વાણીની અશક્તિને દાનિકોને પૂરો ખ્યાલ આવી ગયા અને અવાચ્યતા યા અતિવચનીયતાના સિદ્ધાંતનું સમર્થન થવા લાગ્યું, ત્યારે બ્રહ્મ એ એકાંત અનિર્વાચ્ય બન્યું; એટલુ જ નહિ પણ ūાસ્તુ મૌન વ્યાહ્યાન, શિધ્ધાતુ ઇિનસયા:' એ ઔપનિષદ સિદ્ધાંતનું ખરું રહસ્ય હાથ લાગ્યુ. એ વખતે યુદ્ધ વિષે પણ કહેવામાં આવ્યું કે તેમણે પોતાના સમગ્ર જીવનમાં એક અક્ષર પણ ઉપદેશ રૂપે કહ્યો નથી. અને જૈન તીર્થંકરા વિષે પણ દિગંબર પર પરામાં એમ કહેવામાં આવ્યું કે તેઓ વૈખરી વાણીના પ્રયાગ કરતા જ નથી, માત્ર હુંકારના જ ધ્વનિ નીકળે છે, જે વિવિધ ભાષારૂપે પરિણત થાય છે. એટલે એ કાળના આચાર્યાંનાં વચનેને અંતિમ પ્રમાણ માની શાસ્ત્રગત વસ્તુના વિચાર કરવા જઈએ તા વસ્તુસ્થિતિ સ્પષ્ટ થવાને બદલે ગૂંચવણ ઊભી થવા સંભવ છે. એટલે આચાય હરિભદ્રના ઉક્ત અભિપ્રાયને ઉક્ત અનુબંધી મુક્ત કરીને સમજવાના પ્રયત્ન કરવા જતાં ધૂંચ ઉકેલાવાને બદલે ઊલટી જિટલ જ બની જવા સંભવ છે. C. સારાંશ એ છે કે જૈન આચારને મૂળ સ્ત્રાતતી ફર છે. એ પેાતાના અલૌકિક પ્રત્યક્ષ વડે કુશલ અને અકુશલને વિવેક કરી સાધકને માટે આવશ્યક એવા વિધિનિષેધાની પ્રરૂપણા કરે છે. પણ ખુદ્રની માફક માત્ર તીર્થ કર જ વિધિનિષેધ કરે એમ જૈતાએ સ્વીકાયુ નથી. અને એ પણ સ્વીકાયું નથી કે વેદની જેમ તી કરના ઉપદેશમાં જ બધા વિધિ-નિષેધા પ્રરૂપિત થઈ ગયા છે. પણ એટલુ સ્વીકાર્યું છે કે સમય, દેશ આદિને અનુસરી મૂળ સાધનાને • અવિરાધી એવા નિયમપનિયમો તીથ કર સિવાય બીજાના આચરણ અને ઉપદેશના આધારે પણ ઘડવા છે, જે સમગ્રપે જૈન આચરણને સ્રોત ગણાય છે. જૈન આચારના મૌલિક સિદ્ધાંતા : જ્ઞાન અને ક્રિયા જડ ક્રિયાકાંડ યા અજ્ઞાનપૂણું આચરણને જૈન દષ્ટિએ આચારનું નામ આપી શકાય નિહ. સદાચારની પ્રથમ શરત છે સતજ્ઞાન ય! સમ્યગ્નાન. પ્રથમ Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy