SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચરના મૂળ સિદ્ધાંતા યુદ્ધની આજ્ઞા છે, એમ છતાં એ આના અતક નથી મનાઈ; જ્યારે વૈદિક વિધિ વિષે એવું નથી. ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે વૈદિક આજ્ઞા એ એકાંતરૂપે અતક છે, જ્યારે બૌદ્ધ આજ્ઞા તર્ક સિદ્ધ છે. પણ જેનેાની પ્રકૃતિ તા અનેકાંતવાદી છે એટલે આચારના નિયમે વિષે તે એકાંતવાદી બની કે નહિ. આચાર્યનુ કહેવુ છે કે આજ્ઞા એ ધર્મ છે એ સાચું, પણ જે આજ્ઞા આપવામાં આવી છે તેનું મૂળ ભગવાનના અલૌકિક કેવળજ્ઞાનમાં છે એટલે લૌકિક જ્ઞાન વડે એની રામગ્રભાવે પરીક્ષા થઈ શકે નહિ. કેટલીક વાતામાં લૌકિક જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકે છે એટલે તર્ક વડે તેમની કેટલીક આજ્ઞાએની સિદ્ધિ સ`ભવે છે, પણ એવી ધણીય બાબતા છે, જેમાં લૌકિક જ્ઞાનનેા-તર્ક શક્તિનેા-સંચાર જ થઈ શકે એમ છે નહિ. એટલે એવી બાબતા તસિદ્ધ નથી. અર્થાત્ જૈન આજ્ઞા સમગ્ર ભાવે તસિદ્ધ માનવાના પક્ષમાં જૈન આચાર્યાં નથી : આંશિક તર્ક સિદ્ધ છે અને આંશિક ત`સિદ્ધ નથી. આ પ્રમાણે જૈન આજ્ઞા કેવળ તર્કશુદ્ધ છે એમ કહી શકાય નહિ અને તેમાં તની ગતિ નથી જ એમ પણ કહી શકાય નહિ. આ મધ્યમ માર્ગ જેનેના અનેકાંતવાદનું સીધુ પરિણામ છે. ४७ જૈન આચારના સ્રોતા અને એ અનેકાંત, આચાર વિષેની આજ્ઞાઓના ઘડતરમાં પણ કાર્ય કરે છે. વૈદ્ધિકાનાં વેદ-શ્રુતિની જેમ જૈન આચારા મૂળ સ્રોત જૈન તીર્થંકરનું શ્રુત છે. છતાં એ શ્રુતમાં આચારના સમગ્ર નિયમે!નું વિધાન થઈ ગયું છે એમ નથી મનાયુ'; જ્યારે વૈદિક માને છે કે સમગ્ર નિયમા વેદમાં વિહિત દ—પછી ભલે વિદ્યમાન વેદ્યમાં એ નિયમા મળતા ન હોય. બૌદ્ધોની જેમ જૈને એમ પણ નથી માનતા કે કેવળ તી 'કર જ નિયમાનું ઘડતર કરે. બીજા કાઈ નહિ. જેનાએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અમુક જ નિયમે! તીર્થંકરે કહ્યા છે, અને એવા ઘણા નિયમા છે જે મૌલિક શ્રુતમાં છે નહિ, છતાં આચાર્યાએ, તે તે સમયે, આવશ્યકતા જોઈને, એ મૌલિક નિયમેામાં નવા નિયમે ઉમેર્યાં છે. એટલે આ દૃષ્ટિએ જોતાં જ્યારે બૌદ્દો એમ માને છે કે માત્ર યુદ્ધ જ નિયમસન કરી શકે છે, ત્યારે જૈનેાના મત પ્રમાણે કૈવળતી કર નિહ પણ ગીતા સ્થવિરે પણ મૂળ ઉપદેશને અનુકૂળ એવા નિયમાનુસર્જન કરવા સમર્થ છે. આચાય હરિભદ્ર તા ત્યાં સુધી કહે છે કે તીર્થંકરાએ તા કાઈ વિધિનિષેધ કર્યા જ નથી; માત્ર એટલુ જ કહ્યું છે કે સ ંયમની દ્ધિ થાય તેવું કરવું અને અસમમાં પ્રવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy