SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન ક્ષીણ થઈ ગઈ અને અત્યારે એ સમાજ વદિક સમાજથી કોઈ પણ રીતે સુધારક દષ્ટિએ અથવા તે ક્રાંતિકારી વિચારની દૃષ્ટિએ કાઈ પણ જાતનું પાર્થક્ય ધરાવે છે, એવું કહી શકાય તેમ રહ્યું નથી. એટલે કે મૂળે તેમાં આચારમાં ક્રાંતિકારી અને સુધારક દૃષ્ટિબિંદુ પિતાના દાર્શનિક સિદ્ધાંત અનેકાન્તવાદને કારણે હતું એ તથ્ય છતાં, આજે જૈન સમાજ પણ વૈદિકની જેમ જ વિચાર પ્રમાણે આચાર નથી ધરાવતો એ પણ તથ્ય છે. એટલે કે આજની સ્થિતિ પ્રમાણે સમગ્ર ભારતવર્ષની સમસ્યા વિચારને અનુકૂળ આચારના ઘડતરની છે. વેદિક અને જૈન બંને પિતપોતાના દાર્શનિક સિદ્ધાંતને અનુસરી જ આચરણનું ઘડતર કરે તે સમાજ ઉચ્ચ સ્થિતિએ પહોંચે એવી સંપૂર્ણ શક્યતા છે જ. આજ્ઞાએ ધર્મ: તર્ક અને આચાર જૈન આચારની બાબતમાં જે એક વસ્તુ ઉપર ભાર અપાયેલે આપણે જોઈએ છીએ તે છે-માળા, ધર્મા–અર્થાત ભગવાનની આજ્ઞાનું પાલનમાં ધમ છે. એ વાત. આ ઉપરથી એક વસ્તુ ઉપર ઉપરથી એમ સમજાય છે કે વેદવિધિ અર્થાત આજ્ઞા અને જિનની આજ્ઞા એ બંને સરખી રીતે આજ્ઞા હાઈ અતર્થ છે, પણ વસ્તુસ્થિતિમાં સહેજ ભેદ છે અને એ ભેદમાં જ જૈન અને વૈદિક આચારને મૌલિક ભેદ છે. ૌ આચારના નિયમના ઘડતરમાં કોઈને કોઈ પ્રસંગની ઉપસ્થિતિ અનિવાર્ય મનાઈ છે. અને પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા આચારના નિયમોનું ઘડતર કમે ક્રમે થતું ગયું છે, તે વિનયપિટક વાંચતાં સ્પષ્ટ થાય છે. પણ એને અર્થ એ નથી કે નિયમોના ઘડતરમાં આચાને કોઈ મૌલિક સિદ્ધાત કામ કરતા નતિ. બુદ્ધને સિદ્ધાંત છે કે કુશલ કાર્ય કરવું અને અકુશલનું નિવારણ કરવું. આ સિદ્ધાંતની કસોટીએ પ્રત્યેક નિયમોને કરી શકાય; પણ કુશલાકુશલને અંતિમ વિવેક કેણ કરે ? એ વિવેક બુદ્ધે પોતે પોતાના હાથમાં રાખે છે. સંઘે એ જવાબદારી નથી લીધી કે તે વિવેક કરીને નકકી કરે કે કુશલ શું અને અકુશલ શું? પણ આથી એમ નથી સમજવાનું કે બુદ્દે જે વિવેક કર્યો છે તે અતર્થ છે. અદનો તો એ દાવો હતો કે હું જે કહું છું તે પ્રજ્ઞાથી કહું છું અને શ્રોતા એ સ્વીકારતાં પહેલાં પિતાની તર્ક અને બુદ્ધિશક્તિને અવશ્ય ઉપયોગ કરે. અને પરીક્ષા કર્યા પછી એમ જણાય કે બુદ્ધવચન તથ્ય અને હિતકર છે તે જ તેને સ્વીકારે. એટલે એમ કહી શકાય કે આચારના વિષયમાં અંતિમ સત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy