SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચારના મૂળ સિદ્ધાંતો ૪૫ એક હોય છે અને આચારનો સિદ્ધાંત તેથી વિપરીત જ હોય છે. કહેવત તે એવી છે કે વિચાર તે આચાર, પણ મોટે ભાગે દાર્શનિક વિચાર સાથે આચારની સંગતિ મેળવવા ધાર્મિકાએ પ્રયત્ન નથી કર્યો, એ ખાસ કરી ભારતમાં તે સ્પષ્ટ છે. વેદિકોએ દાર્શનિક સિદ્ધાંતની પરાકાષ્ટા અત સિદ્ધાંત સ્થાપીને પ્રાપ્ત કરી અને સંસારમાં જે કાંઈ છે તે એક બ્રહ્મ અથવા પરમાત્માનો જ વિસ્તાર છે એમ વિચારથી નકકી કર્યું; પણ એ વિચારને અનુકૂળ જે આચારનું ઘડતર થયું હોત તે ભારતવર્ષની પરિસ્થિતિ આજે જુદી જ હોત. નાત-જાતના ભેદ, સ્પૃસ્યાસ્પૃસ્યતા, પ્રાતીયતાવાદ, ભાષાવાદ આદિને કારણે ભારતીય સમાજ આજે જે છિન્નભિન્ન દશામાં છે તે કદી પણ ન હોત; તેને બદલે “વસુધેય કુટુંબમાં માનનારો એક આદર્શ સમાજ ભારતમાં નિર્મિત થયો હોત. પણ દુર્ભાગ્યે વિચાર પ્રમાણે આચારનું ઘડતર નથી થયું એ સ્પષ્ટ છે. દાર્શનિક દષ્ટિએ વળી બીજી પણ એક ત્રુટિ તરફ જેન આચાર્યોએ વૈદિકનું ધ્યાન ખેંચ્યું છે; તે એ કે આત્માને જ કૂટ-એકરૂપ માનવામાં આવે તો આત્મામાં બંધ–મોલની વ્યવસ્થા. પુનર્જનન–એક અવસ્થા વટાવીને બીજી અવસ્થા પ્રાપ્ત કરવાનો સંભવ અને બંધથી છૂટવા મોક્ષ માટેના પ્રયત્ન માટે આવશ્યક આચરણને પણ સંભવ નથી. સામાજિક દષ્ટિએ પણ જે દાર્શનિકે એકાંત નિત્યવાદમાં માનતા હોય તેમને મતે સામાજિક સુધાર કે આચારણનું પરિવર્તન કે રાજનૈતિક વિચારધારાનું પરિવર્તન પણ શક્ય નથી, સંભવિત નથી. એટલે તેમને સમાજ એકરૂપ રૂઢિચુસ્ત જ સંભવે, આથી ઊલટું, જે દાર્શનિકો આત્માને ફૂટસ્થ ન માનતા પરિણામી નિત્ય માને તેમને મતે જ પરિવર્તનને અવકાશ રહે છે. અને પરિ વર્તન જીવનના વૈયક્તિક, સામાજિક, રાજનૈતિક, આર્થિક આદિ સર્વ ક્ષેત્રોએ સંભવિત બની શકે છે. | જન આચારનું અનેકાંતમૂલક ઘડતર - જૈનોએ દાર્શનિક સિદ્ધાન્ત તરીકે જ્યારે એનેકાંતવાદને સ્વીકાર્યો, ત્યારે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પરિવર્તનને અવકાશ છે એમ સ્વતઃ સ્વીકારી લીધું. પરિણામ એ આવ્યું કે જૈનોના અભ્યદયકાળમાં જૈનધર્મ એ એક સુધારક ધર્મ 'તરીકે સ્વત: પ્રસિદ્ધ થયા. વૈદિકની સંકુચિત વર્ણવાદ, ઉચ્ચનીચપણની ભાવના, ઋગ્યાસ્પૃશ્યતા, સ્ત્રી-પુરુષના અસમાન અધિકાર આદિ માન્યતાઓથી વિરુદ્ધ તો આચરણ હતું. અને તે તેમના પિતાના દાર્શનિક સિદ્ધાંતને અનુસાર હત પ્રવા દુર્ભાગ્યે જૈનધર્મની આ પોતાની શક્તિ વૈદિકોના પ્રકારે કાળકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy