SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ચિંતન ભગવાન મુદ્ધના નિર્વાણ પછી સેા વર્ષે અમુક ભિક્ષુઓના આચારમાં કેટલાક નિયમામાં શિથિલતા આવી. અને એવી શિથિલતા વિહિત છે અથવા તેને યુદ્ધવચનનું સમન છે, એમ તે કહેવા લાગ્યા, ત્યારે ફરી પાછા ૭૦૦ સ્થવિરા એકત્ર થયા અને નિર્ણય કર્યો કે એવી શિથિલતાના સમર્થ્યનમાં ખુચન નથી. તેથી વિનય વિરુદ્ધના એવા શિથિલ આચારાનું વન કરવું જોઈએ. આમ એ સ્પષ્ટ છે કે બૌદ્ધોએ એ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે આચારના સ્રોત કેવળ ભગવાન બુદ્ધ છે. તેમાં અપવાદ કરવાને અધિકાર કોઈને પણ નથી; એટલું જ નહિ પણ ગૌણ નિયમાનુ અતિક્રમણ કરવાની સંબંને છૂટ મુદ્દે આપ્યા છતાં નિશ્રિત ગૌણ નિયમેા કયા એ અંગે યુદ્ધની નિશ્ચિત સૂચના નહિ હોવાથી એમાં પણ સધે છૂટ સ્વીકારી નહિ. આ વસ્તુ સધની ભગવાન બુદ્ધમાં અપ્રતિમ નિષ્ઠા બતાવે છે; અને આચારમાં એકમાત્ર ખુનું જ અપ્રતિહત પ્રામાણ્ય સ્વીકારે છે. ૪૪ વેદપ્રતિપાદિત આચાર એ આના છે અને તેમાં ત યા ઉપપત્તિને કેાઈ સ્થાન નથી; જ્યારે મુદ્દે જે જે આચારના નિયમા બનાવ્યા છે; તે શા માટે બનાવવા જરૂરી હતા, તેનું સ્પષ્ટીકરણ કરાવતી વસ્તુકથા વિનયપિટકમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે કહી શકાય કે જે કાર્યોથી લેાકાપવાદ થાય તેવાં કાર્યાના નિષેધ બુદ્ધે કર્યાં છે, અને નિયમપાલનનુ ઔચિત્ય પણ સિદ્ધ કરવાને પ્રયત્ન પદે પદે વિતયમાં સ્પષ્ટ દેખાય છે. બૌદ્ધ આચારમાગની એક ખાસ વાત એ છે કે પાલનકર્તા તેનું ફળ પ્રત્યક્ષ કરે છે અને બીજાએ પણ બૌદ્યોના આચારમા નું પરિણામ જોઈ શકે છે. અર્થાત્ અદૃષ્ટ ફળ ઉપર મુને! ભાર નથી, પણ પ્રત્યક્ષ ફળ ઉપર યુદ્ધને વિશેષ ભાર છે, વૈદિક અને બૌદ્ધ આચારમાં આ એક ધ્યાનમાં લેવા જેવા ભેદ છે. જૈન આચાર દર્શન અને આચાર જૈન આચાર વિચાર જૈન દર્શનના વિચારથી જુદો થઈ શકે નહિ, એટલે દાશ`નિક વિચારાને અનુકૂળ રહીને જ જૈન આચારનું ઘડતર થઈ શકે, એ વસ્તુ સ્વીકારવી જોઈએ. સામાન્ય રીતે એવું જોવાય છે કે દાનિક સિદ્ધાંત ૧. જુએ વિનયપિટક, પંચાતિકા સ્કંધક અને સપ્તશતિકા સ્કંધક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy