SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જેન આચારના મૂળ સિદ્ધાંત આચારેનું સમાયનુકુલ પરિવર્તન થતું જ આવ્યું છે. અને તે પરિવર્તનને બુદ્ધિબળે વેદ-અવિરોધી સિદ્ધ કરવામાં પંડિતાના પાંડિત્યનો ઉપયોગ થતો રહ્યો છે. વસ્તુસ્થિતિએ આજના રૂઢ આચારોના સમર્થનમાં વેદમાંથી બહુ જ થોડું થળી શકે એમ છે એ સ્વીકારવું જોઈએ; એટલું જ નહિ પણ આજના હિન્દુકોડના ધારામાં આવતા ઘણા સુધારક આચારોનું સમર્થન વેદમાંથી મળે છે; છતાં આશ્ચર્ય તે એ છે કે સનાતની હિન્દુઓ વેદનું નામ લઈને હિન્દુકેડને વિરોધ કરતા રહ્યા છે. બૌદ્ધ આચારનો સ્ત્રોત બૌદ્ધ વિનય અર્થાત આચારના નિયમોનું સર્જન કરવાનો અધિકાર કેવળ ભગવાન બુદ્ધને જ છે. તેમનું નિર્વાણ થયું ત્યારે કેટલાક ભિક્ષુઓ કહેવા લાગ્યા કે હવે આપણે સ્વતંત્ર થઈ ગયા, આપણા ઉપરનું નિયંત્રણ દૂર થયું, એટલે ફાવે તેમ વર્તન કરી શકીએ છીએ. આ સાંભળી શ્રદ્ધાળુ ડાહ્યા પાંચસો સ્થવિરેએ સંગીતિ કરી અને ભગવાન બુદ્ધે જે આચારના નિયમનું પ્રવર્તન કર્યું હતું તેને સંભારી સંભારીને જે સંકલન કર્યું એ જ “વિનયપિટક” નામે ઓળખાય છે. બૌદ્ધધર્મમાં અનેક સંઘ અને સંપ્રદાયભેદો થયા, પણ એ બધાના વિનયમાં નહિવત ભેદ છે. એ સર્વેને એક વસ્તુ સમાન રીતે માન્ય છે કે આચારના નિયમોનું સર્જન તે ભગવાન બુદ્ધ જ કરી શકે છે. આ ઉપરથી કહી શકાય કે બૌદ્ધધર્મમાં આચાર સ્ત્રોત કેવળ ભગવાન બુદ્ધ જ છે. બૌદ્ધ વિનયના નિયમોમાંથી સંઘ આવશ્યક સમજે તે અતિ ગૌણ નિયમોને ઢીલા પણ કરી શકે છે, અથવા તો તેવા અતિ ગૌણ નિયમનું ઉ૯લંઘન પણ કરી શકે છે. એવું નિર્વાણ સમયે ભગવાન બુદે ભિક્ષ આનંદને કહેલ. છતાં પણ સંગીતિમાં એકત્ર થયેલા ભિક્ષુઓ એવા ઉ૯લંઘનના પક્ષમાં ન થયા અને નાના-મોટા બધા જ નિયમોનું પાલન કરવું આવશ્યક છે એમ તેમણે નક્કી કર્યું. કારણ કે ભિક્ષ આનંદે ભગવાન બુદ્ધ પાસેથી એ સ્પષ્ટીકરણ માગ્યું ન હતું કે કયા કયા નિયમોને ભગવાન બુદ્ધ અતિ ગૌણ ગણતા હતા. ૧. વિશેષ વિવરણ માટે જુઓ ડે. અકરનું Sources of Hindu Dharma," Pub. Institute of Public Administration, Sholapur. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy