SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃતિને સંદેશ ૩૭ પરમ જયને છોડીને હું એ તુચ્છ જયની પાછળ શા માટે દોડું ? આધ્યાત્મિક યુક્ર–એટલે કે પોતાની જાત સાથેનું પિતાનું યુદ્ધ — જ જ્યારે મારી સામે આવીને ઊભું છે, તે હું આ બાહ્ય યુદ્ધમાં શા માટે ફાઉં ? જે યુદ્ધનો ઉદ્દેશ સુખ જ હોય, અને જે એ સુખ મને મારી પોતાની જાત ઉપર વિજય કરવાથી મળી શકતું હોય, તે હું નાહક શા માટે સૌને મારતો ફરું ? જેમ જેમ હું બીજાઓ ઉપર ક્રોધ કરીશ, બીજાઓને મારતો ફરીશ, તેમ તેમ મારું વેર તો વધતું જ રહેશે, અને છેવટે એ મારે પોતાનો જ નાશ કરી દેશે ! તે તે પછી સારું છે એ જ છે કે હું ક્રોધનો અને વેરનો જ નાશ કરવાનો પ્રયત્ન કરું. એમને નાશ કરવામાં બીજા કોઈને દુ:ખ પહોંચાડવાની તે કોઈ વાત જ નથી; અને હું સુખી થઈ જાઉં છું.” અત્યારની આ દુનિયા, જે બીજાઓના સંહારમાં રત છે, એને માટે જૈન સંસ્કૃતિને આ સંદેશ સમયને અનુરૂપ જ લેખાવો જોઈએ. કષ્ટ સહનની જરૂર લોકોમાં જ્યાં લગી કષ્ટોને સહન કરવાની શક્તિ નથી આવતી ત્યાં સુધી પ્રતિહિંસાની જવાળા સળગતી જ રહે છે. જૈન શ્રમણોને માટે, સમભાવપૂર્વક અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાનો વિધિ ભગવાન મહાવીરે બતાવ્યું છે. એમણે જે કંઈ કહ્યું છે એ કંઈ નરી કલ્પના નથી. એમણે પોતાના સાધક જીવનમાં જે કષ્ટો સહ્યાં હતાં, એનું વર્ણન સાંભળીને આપણું રૂંવાડાં ખડાં થઈ જાય છે. આ અનુભવમાં જ એમણે જે કંઈ પ્રાપ્ત કર્યું એ જ શ્રમણને શીખવ્યું છે. સહનશક્તિ અને ક્ષમાનું ફળ સમજાવતાં એમણે જે કંઈ કહ્યું છે તે ખૂબ ઉત્સાહવર્ધક છે. એમણે કહ્યું કે, જ્યારે કેઈ તમને ગાળ આપે, પીડા ઉપજાવે અને અંતે તમારી હત્યા કરવાની ચેષ્ટા કરે ત્યારે પણ એમ જ માનજે કે એ તો અજ્ઞાની છે; હું પણ એની જેમ ક્રોધાવેશમાં આવીને એની હત્યા કરવા લાગ્યું તે મારામાં અને એનામાં શો ફેર ? મને મારીને પણ એ મારું શું બગાડી શકવાને છે? આત્માની સાથે જે આ શરીરનું બંધન વળગેલું છે, એ બંધનને જ તે એ હત્યારે છેદી રહ્યો છે ! અરે, આ રીતે મારું બંધન છેદાઈ જાય એના કરતાં રૂડું બીજું શું ? મારા આત્માને તે નાશ થતા જ નથી, પછી મને ભય કોને ? મૃત્યુને જીતવાને આ મહામંત્ર આજની ભયગ્રસ્ત દુનિયાને ફરી શીખવવાની જરૂર છે. અને મહાતમા ગાંધી અત્યારે એ જ કામ કરી રહ્યા છે. અત્યારની દુનિયામાં યુદ્ધજન્ય તેમ જ બીજા અનેક પ્રકારનાં કષ્ટો દેખાય છે; એ બધાંય તૃષ્ણામૂલક છે, એ વાતને ઇનકાર કેણ કરી શકે એમ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy