SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃતિને સંદેશ એટલી મર્યાદિત તે અવશ્ય કરી શકીએ છીએ કે જેથી આપણે એ બધામાંથી કોઈને માટે દુઃખના નિમિત્ત ન બનીએ. ગીતામાં બધી પ્રવૃત્તિ કરવાની વાત છે, પણ ભગવાન શ્રીકૃષ્ણ એને માટે આસક્તિનો ત્યાગ કરવાને ઉપદેશ આપ્યો છે. ભગવાન મહાવીરે પ્રવૃત્તિને મર્યાદિત કરવાને મહત્ત્વપૂર્ણ ઉપદેશ આપ્યો, અને જે પ્રવૃત્તિ અપરિહાર્ય હાય, એને પણ અપ્રમત્ત બનીને કરવાને ઉપદેશ આપ્યો છે. અનાસક્તિથી બંધન નથી થતું અને અપ્રમાદથી પણ બંધન નથી થતું. આ રીતે જ્યારે માનવી પોતાની પ્રવૃત્તિને મર્યાદિત કરીને બીજાને દુ:ખ ન પહોંચે એને વિચાર કરે છે. ત્યારે એને બધાના મિત્ર બનવું પડે છે. અંતમાં એ કલ્યાણમિત્ર કે ઈની સાથે સ્વાર્થ સંબંધ નથી રાખતા. એ કે ઈનો નથી થતું અને કેાઈ એનું નથી થતું. એના મનમાં શત્રુ અને મિત્ર બધા સમાન થઈ જાય છે. તે પછી એ પિતાના કુટુંબમાં કેવી રીતે ગંધાઈ રહે ? પોતાના રાજ્યમાં કેવી રીતે ફસાઈ રહે ? એ બધાને ત્યાગ કરીને પોતાની આત્મનિરીક્ષણને માટે અરણ્યને આશ્રય લે છે. ત્યાં એ ઉગ્ર તપસ્યા કરીને પોતાની જાતને કુંદનની જેમ શુદ્ધ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. એ જ નિર્વાણ છે. અહં અને મમત્વના ત્યાગને ભગવાન બુદ્ધને ઉપદેશ ભગવાન બુદ્દે પિતાને નિર્વાણમા આત્મવિજ્ઞાન ઉપર સ્થિર નથી કર્યો; એમનું કહેવું એમ હતું કે આત્મવિજ્ઞાનથી કશો લાભ નથી. હાં, એટલું તો સ્પષ્ટ છે કે જ્યારે માનવી પોતાના સ્વતંત્ર અસ્તિત્વને “હું છું” એ રીતે સમજી બેસે છે, ત્યારે આ “હું”થી મમત્વ જન્મે છે. એ સમજવા લાગે છે આ આ મારું છે, “આ મારું નથી’, ‘આ મને ગમે છે, “આ મને પસંદ નથી.” આ રીતે દરેક વસ્તુની એ પિતાના “દું'ની દષ્ટિએ પરીક્ષા કરે છે, પિતાના રાગષને વધારે છે, અને ભૂંડી રીતે સંસારચક્રમાં ફસાઈ જાય છે. તેથી આ ચક્રમાંથી બહાર નીકળવાનો ઉત્તમ ઉપાય એ જ છે કે “હું”ને-આ અહંકારનેરામ્ય-ભાવનાને બળે દૂર કરવામાં આવે, આમ કરીને જ્યારે એ “હુથી મુક્ત બને છે ત્યારે એ કલ્યાણમિત્ર બને છે. ન કઈ એનું છે અને ન એ કાઈને. પછી એ સંસારમાં શા માટે ફસાઈ રહેશે ? એને માટે તે ઘરને ત્યાગ કર એ જ ઉચિત છે અને ધ્યાન દ્વારા પિતાની એ પ્રજ્ઞાને પ્રક સાધીને કતકૃત્ય થવું, એ જ એનું નિર્વાણ છે. આ રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન મહાવીરે જ્યારે આત્મવિજ્ઞાનના વિસ્તારથી નિર્વાણનો માર્ગ બતાવ્યો ત્યારે ભગવાન બુદ્ધ આત્મવિજ્ઞાનના સંકોચથી નિર્વાણ માન્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy