SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનનાં ત નરી આંખે દેખાતા પણ નથી, તેમની રક્ષાની પણ ભાવના છે. અને એ ભાવનાને આધારે જ આચારના વિધિ-નિષેધેની હારમાળા ઘડાઈ છે. એને સંપૂર્ણતઃ અનુસરવાને શ્રમણ અને અંશત: અનુસરવાનો પ્રયત્ન શ્રાવકે કરે છે. આચારની પાછળ દર્શન ન હોય તો આચારની સાધનામાં નિષ્ઠા આવતી નથી. આથી દરેક ધમે જીવના બંધ અને મોક્ષ તથા જીવનો જગત સાથે સંબંધ તથા જગતના સ્વરૂપ વિષે અનિવાર્ય રીતે વિચાર કરવો પડે છે. એ અનિવાર્યતામાંથી સમગ્ર જૈન દર્શન ઊભું થયું છે. પ્રથમ કહેવાયું તેમ, જન દર્શનના વિચારની એ વિશેષતા છે કે તે સત્યની શોધ માટે તત્પર છે અને આથી જ સકલ દશના સમૂહરૂપ જૈન દર્શન છે એવો ઉદ્યોષ આચાર્ય જિનભદ્ર જેવા આચાર્યો કરી ગયા છે.. છ દ્રવ્ય જૈન દર્શનનાં મૂળ તો બે જ છે : જીવ અને અજીવ. એ બેનો વિસ્તાર પાંચ અસ્તિકાયરૂપે, છ દ્રવ્યરૂપે અથવા સાત તત્ત્વ કે નવ તવરૂપે વર્ણવવામાં આવે છે. ચાર્વાકે કેવળ અજીવને પાંચ ભૂતરૂપે માનનારા હતા; અને ઉપનિષદના ઋષિઓ કેવળ જીવન એટલે કે આત્મા–પુરુષ–બ્રહ્મને માનનારા હતા. એ બંને મતોનો સમન્વય છવ અને અજીવ માનીને જૈન દર્શનમાં થયે છે. સંસાર અને સિદ્ધિ-નિર્વાણ કે બંધન અને મુક્તિ, એ તો જ ઘટે જે જીવ અને ઈતર હોય. આથી છવ અને અજીવ બંનેના અસ્તિત્વની તાર્કિક સંગતિ જૈનએ સિદ્ધ કરી અને પુરુષ અને પ્રકૃતિનું અસ્તિત્વ માની પ્રાચીન સખેએ પણ એ સંગતિ સાધી હતી. વળી, આત્માને કે પુરુષને કેવળ કૂટસ્થ માનવાથી પણ બંધ-મોક્ષ જેવી વિરોધી અવસ્થાઓ જીવમાં ઘટી શકે નહિ. આથી બધાં દિશાનથી જુદા પડીને, બૌદસંમત ચિત્તની જેમ, આત્માને પણ એક અપેક્ષાએ અનોએ અનિત્ય માન્યો, અને વૈદિકની જેમ નિત્ય માનવામાં પણ જેનોને વાંધે તો છે જ નહિ. કારણ કે બંધ અને મોક્ષ અને પુનર્જીવનનું ચક્ર એક જ આત્મામાં છે. આમ આત્મા જૈન મતે પરિણામી નિત્ય માનવામાં આવ્યો. સાંખેએ પ્રકૃતિને જડતત્વને તો પરિણામ નિત્ય માન્યું હતું, પણ પુરુષને કટા, પરંતુ જેનેએ જડ અને જીવ બંનેને પરિણામી નિત્ય માન્યાં. આમ, પણ છે અને કાંદષ્ટિ પષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy