SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિ તન ૨૮ જ્યાં સુધી તીર્થંકરાના પ્રભાવ ન હતો ત્યાં સુધી ઇન્દ્રાદિ દેવાની પૂજા-પ્રતિષ્ઠા આર્યાં કરતા હતા અને અનેક હિ'સક યજ્ઞાનું અનુષ્ઠાન કરી તેમને રીઝવી બદલામાં સંપત્તિ માગતા હતા. તીર્થંકરાએ મનુષ્યની એ દીનતાને નિવારીને મનુષ્યનું ભાગ્ય મનુષ્યના જ હાથમાં સાંપ્યુ અને ધાર્મિક માન્યતામાં નવજાગરણ આવ્યું; મનુષ્ય પેાતાના સામર્થ્યને ઓળખતા થયા અને એણે ઇન્દ્રાદ્રિ દેવાની ઉપાસના છોડી દીધી. પરિણામે વૈદિક આર્યોંમાં પણ રામ અને કૃષ્ણ જેવા મનુષ્યેા પૂજાવા લાગ્યા —પછી ભલે કાળક્રમે તેમને અવતારી પુરુષા બનાવી દીધા. પણ મૂળ વાત એટલી સાચી છે કે દેવ-કરતાં મનુષ્ય મહાન છે. એ સ`દેશ તો તીકરાએ જ આ ને આપ્યા છે. અહિંસા અને અનેકાન્ત તીકરાએ પ્રવર્તાવેલ ધર્મનું સ્વરૂપ શું છે? તેનું હૃદય શુ છે ?-એ એક શબ્દમાં કહેવું હોય તો ‘અહિંસા' છે. આચારમાં અહિંસાનાં એ રૂપ છે : સંયમ અને તપ. સયમમાં સવર-સકાચ આવે છે—શરીરને, મનને! અને વાણીને. આથી તે નવાં બંધનામાં પડતો નથી; અને તપથી તે જૂનાં ઉપાર્જિત અધનાને કાપી નાખે છે. આમ એક માત્ર અહિંસાના પાલનથી સનુષ્ય મુક્તિને મેળવી શકે છે. જીવનમાં અહિ ંસાનું પૂરેપૂરું પાલન કરવુ હાય તો વિચારમાં અનેકાંતને અપનાવ્યા વિના ચાલે જ નહિ. આથી અહિંસામાંથી જ જૈનધમતા દ્વારા નિક સિદ્ધાંત અનેકાંત ફલિત થયેા છે. વિચારનાં દ્વારા ખુલ્લાં રાખા, તમને બધાના વિચારામાંથી સત્ય જડી આવશે—આ છે અનેકાંતનેા અર્થ. સત્યના આગ્રહી માટે સવપ્રથમ પેાતાને એ કદાગ્રહ કે મારું તે જ સાચું અને બીજી જૂઠ્ઠું' -એ છેાડવા જ પડે; એ ન છેડે ત્યાં સુધી તે બીજાને અન્યાય જ કરશે અને તે જ તો હિંસા છે. આથી અહિંસકને માટે અનેકાંતવાદી થવું અનિવાર્ય છે. આથી જૈનધમ માં જે દનના વિકાસ થયા તે એકાંતવાદી નહી પણ અનેકાંતવાદી દનને થયા છે. અહિંસાને જીવનવ્યવહાર માટે જે આચાર તે જ જૈનધ; અને અહિં સાથી ફલિત થતું દર્શીન તે જૈન દન. આથી જનધર્માંતે અનુસરનાર શ્રમણના જીવનવ્યવહારમાં સ્થૂળ જીવની રક્ષાથી આગળ વધીને જે સૂક્ષ્મ જીવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy