SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનનાં તો જૈનધર્મનું પ્રવતન કોઈ એક પુરુષને નામે, શૈવ, વૈષ્ણવ આદિની જેમ, નથી ચડયું, પણ એ જિનો–રાગદ્વેષના વિજેતાઓએ આચરેલ અને ઉપદેશેલ ધર્મનું નામ છે. આથી જૈનધર્મ કેઈ એક વ્યકિતથી પ્રવતિત થયો છે કે કેઈ એક વ્યકિતને જ તેમાં દેવ તરીકે સ્થાને છે એમ નથી, પણ જે કઈ રાગ-દ્વેષને વિજેતા હોય તે જિન છે અને તેમને ધમ તે જૈનધર્મ. આવા જૈનધન. અનુયાયીઓ જૈન કહેવાય છે. તીર્થકરેએ ઉદબોધેલી માનવની શ્રેષ્ઠતા જેનેએ કાળક્રમે જેમનામાં રાગદ્વેષને વિજય જે તેમને પિતાના ઇષ્ટદેવ તરીકે સ્વીકાર્યા અને એવા વિશિષ્ટ દેને “તીર્થકર” એવું નામ આપ્યું. આવા તીર્થકરોની સંખ્યા તેમને મતે ઘણી મોટી છે; પણ આ કાળમાં–આ યુગમાંવિશેષત: ઋષભદેવથી માંડીને વધમાન સુધીના ૨૪ તીર્થંકર પ્રસિદ્ધ છે. બીજા ધર્મોની જેમ તેઓ ઈશ્વરના અવતાર નથી કે અનાદિસિદ્ધ ઈશ્વર પણ નથી. પરંતુ સામાન્ય મનુષ્યરૂપે જન્મેલ છતાં પૂર્વ સંસ્કારને કારણે અને પૂર્વ જન્મમાં વિશેષ પ્રકારની સાધના કરીને તીર્થંકરપદને પામ્યા છે. એટલે કે તીર્થકર એ આપણે મનુષ્યમાંના જ એક છે. અને તેમને સંદેશ છે કે જે કોઈ તેમની જેમ પ્રયત્ન કરે તે તીર્થકરપદને પામી શકે છે. મનુષ્યજાતિમાં આ પ્રકારના આત્મવિશ્વાસની પ્રેરણા આપનાર એ તીર્થકરી છે. અન્ય ધર્મમાં મનુષ્યથી જુદી જાતિના દે પૂજ્યતા પ્રાપ્ત કરે છે, પણ જૈનધર્મમાં મનુષ્ય એવી શક્તિને મેળવે છે. જેથી દેવો પણ તેમને પૂજે છે – चामे मगलमुक्किट्ठ अहिंसा सजमा तवा । दवा वि त नमसति जस्स धामे सया मणा ।। મનુષ્યજતિનું પદ ઉત્કૃષ્ટ છે એ મતલબનું મહાભારતમાં કહ્યું છે–“ માનુવાત શ્રેલર હિ વિત’–‘શાંતિપર્વ ર૯૯-૨૦) મનુષ્યથી કોઈ શ્રેષ્ઠ. નથી. મનુષ્યની આવી પ્રતિષ્ઠા કરવામાં જૈન તીર્થકરોને ફાળે જેવો તેવો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy