SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈનધર્મચિંતન જીવના ચૈતન્યનો અનુભવ માત્ર દેહમાં થતો હોઈ જન મતે જીવ–આત્મા દેહપરિમાણ છે. નવા નવા જન્મે છવને ધારણ કરવા પડે છે તેથી તેને ગમનગમન અનિવાર્ય છે. આથી જીવને ગમનમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાયને નામે અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય અધર્માસ્તિકાયન નામે–એમ બે અજીવ દ્રવ્ય માનવા અનિવાર્ય થઈ પડ્યાં. તે જ રીતે જીવને જે સંસાર હોય તે બંધન હેવું જોઈએ. એ બંધન પુગલ એટલે કે જડ દ્રવ્યનું છે. આથી પુલાસ્તિકાય રૂપે એક અન્ય પણ અજીવ દ્રવ્ય મનાયું. આ બધાંને અવકાશ આપે એવું જે દ્રવ્ય તે આકાશ; એ પણ જડરૂપ અજીવ દ્રવ્ય માનવું જરૂરી હતું. આ પ્રમાણે જૈન દર્શનમાં છવ, ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલ એ પાંચ અસ્તિકાયો માનવામાં આવ્યા છે. પણ જીવાદિ દ્રવ્યોની વિવિધ અવસ્થાઓની કલ્પના કાલ વિના થઈ શકે નહિ; આથી એક સ્વતંત્ર કાલદ્રવ્ય પણ અનિવાર્ય હતું. આ રીતે પાંચ અસ્તિકાને સ્થાને છ દ્રવ્યો પણ થયાં. જ્યારે કાલને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં નથી આવતું ત્યારે તેને જીવ અને અજીવ દ્રવ્યોને પર્યાયરૂપે જ માનીને કામ ચલાવવામાં આવે છે. સાત કે નવ તત્તવ હવે સાત તત્ત્વ અને નવ તત્વ વિશે થોડું સ્પષ્ટીકરણ કરી લઈએ. જન દર્શનમાં તત્વવિચાર બે રીતે કરવામાં આવે છે. એક પ્રકાર વિશે આપણે ઉપર જોયું. બીજો પ્રકાર મેક્ષમાર્ગમાં ઉપયોગી થાય એ રીતે તેની ગણતરી કરવાનો છે. આમાં છવ, અજીવ, આસ્ટવ, સંવર, બંધ, નિજારા અને મોક્ષ– એ સાત તને ગણવાને એક પ્રકારનું અને તેમાં પુણ્ય અને પાપ ઉમેરીને કુલ નવ તને ગણવાને બીજો પ્રકાર છે. વસ્તુત: જીવ અને અજીવના વિસ્તારરૂપે જ સાત અને નવ તો ગણાવ્યાં છે, કારણ કે મેક્ષમાગને વર્ણનમાં એવું પૃથક્કરણ ઉપયોગી થઈ પડે છે. જીવ અને અજીવ વિષેનું સ્પષ્ટીકરણ તે ઉપર કહ્યું જ છે. અછવ-કર્મસંસ્કાર-બંધન–નું જીવથી અંશત: પ્રથફ થવું એ નિરા છે અને સર્વાશે પૃથફ થવું એ મેક્ષ છે. કર્મ જે કારણોએ જીવ સાથે બંધમાં આવે છે તે કારણે આસ્રવ છે અને એનો વિરોધ તે સંવર છે, જીવ અને અછવ-કમનું એક જેવા થઈ જવું તે બંધ છે. સાર એ છે કે જીવમાં રાગ-મેષ, પ્રમાદ આદિ જ્યાં સુધી છે ત્યાં સુધી બંધનાં કારણે મેજૂદ હે ઈ સંસારવૃદ્ધિ થયા કરે છે. એ કારણને નિષેધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy