SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈનધર્મચિંતન પ્રમાણમાં આંતરિક બળ ઘટતું ગયું તેટલા પ્રમાણમાં બાહ્ય બળને આશ્રય વધારે લેવામાં આવ્યો; અને તેટલા પ્રમાણમાં ખરા જૈનધર્મનો નહિ પણ જેનધમને શરીરનો પ્રચાર થયો. આત્મા વિનાના શરીરની જે સ્થિતિ થાય, એવી સ્થિતિ જૈનધર્મની પણ થઈ અને બૃહત ભારતમાં તે તેનું નામનિશાન પણ રહ્યું નહિ. અને ભારતમાં પણ જે પૂર્વ ભારતમાં તે અંકુરિત થયો અને ફાલ્યોફૂલ્યો હતો, ત્યાં પણ આજે તેનું નામનિશાન નથી. આત્મા વિનાનાં શરીરે આધુનિક મંદિરોરૂપે ત્યાં ઊભાં છે, પણ તેના પૂજકો ત્યાં છે જ નહિ. પશ્ચિમ અને દક્ષિણના જેને જઈ પૂજા કરે છે. ખરી રીતે ભારતવર્ષમાં અશોકના રિલાલેખોની જે સ્થિતિ થઈ હતી, તેવી જ સ્થિતિ પૂર્વ ભારતમાં જૈનધર્મની આજે પણ છે. હિંદુ અને બૌદ્ધધર્મની પરિવર્તનશીલતા હિન્દુધર્મનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ જોઈએ તો વૈદિક કાળ અને આજના કાળ વચ્ચે તેમાં ઘણી આંતરબાહ્ય ઊથલપાથલ માલૂમ પડે છે. વેદવારાને ધર્મ આજે જડતો નથી. તેને આંતરિક મૂળ પ્રવાહ કાયમ છતાં તેનાં બાહ્ય અનેક રૂપોમાં એ એવો તો પરિવત્તિ થઈ ગયો છે કે જે તેમાં વેદનિષ્ઠા કાયમ ન રહી હોત તો એ કહેવું પણ કઠણ થઈ પડતી કે આ એ જ ધર્મનાં રૂપાંતરો છે. બૌદ્ધધમ વિષે પણ એવું જ બન્યું છે. તેમાં પણ બુદ્ધનિષ્ઠા જ બધા બૌદ્ધ સંપ્રદાયને એક સૂત્રમાં બાંધી રહી છે. અન્યથા, દાર્શનિક દૃષ્ટિએ, કે આચાર દૃષ્ટિએ બૌદ્ધધર્મમાં જે સંપ્રદાયે થયા છે તે બધાનું મૂળ એક જ ધર્મ છે એની ઓળખ કરવી અત્યંત કઠણ થઈ પડત. - જૈનધર્મની સ્થિતિશીલતા પણ જૈનધર્મની બાબતમાં તેમ નથી બન્યું. એ ધમનું વૈદિક કે બૌદ્ધધમની જેમ પ્રગતિશીલતા એ લક્ષણ નથી. એમાં અનેક સંપ્રદાયો થયા, પણ એ ભેદોએ તેઓમાં કઈ નવું દર્શન જન્માવ્યું નથી. બૌદ્ધોમાં જેટલા સંપ્રદાયો એટલાં દશને છે. વૈદિક ધર્મમાં પણ નાના દર્શને પ્રસિદ્ધ છે. પણ જૈન દર્શન વિકસ્યું છે, છતાં તેમાં નવું દર્શન કદી જગ્યું નથી. દશન એનું એ જ, નિષ્ઠા એની એ જ. બાહ્ય આચારમાં ભેદ, એ જ મુખ્યતઃ સંપ્રદાયભેદ કે સંધભેદના કારણરૂપે છે. જૈન દર્શનની આ સ્થિતિશીલતા જ તેને પ્રચારમાં બાધક રહી હોય તો ના નહિ. કારણું, જ્યારે વૈદિક અને બૌદ્ધો નવા નવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy