SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૨૫ વિચારોને પોતાનામાં સ્થાન આપતા ગયા અને પોતાના તત્વજ્ઞાનને નવું રૂપ આપતા ગયા, ત્યારે જેનોએ પિતાના દર્શનને નવું રૂપ આપવાનો કદી પ્રયાસ કર્યો નથી. મતલબ કે તે તે વખતે થયેલા જૈનેતર દાર્શનિક વિવાદોને સમન્વય કરીને જૈનોએ અનેકાંતવાદને સમૃદ્ધ તો કર્યો, પણ નવા કઈ દર્શનનું સર્જન કર્યું નહીં. સંભવ છે કે આચાર્યો એમ જ માનતા હતા કે અમારું દર્શન તો પરિપૂર્ણ છે. એમાં પરિવર્તનની આવશ્યક્તા જ નથી. અને તેના કારણ રૂપ સર્વાને ધરતા હોય. પણ એ દલીલ તો બૌદ્ધો કે વૈદિક વિશે પણ કરી શકાય. તેઓ પણ વેદ કે બુદ્ધને સર્વજ્ઞ જ માનતા. છતાં તેના નવીનીકરણમાં વેદ કે બુદ્ધ કદી આડે આવ્યા નથી; જ્યારે જેને માં નવીનીકરણ કેમ ન થયું એ એક સમસ્યા છે. આનું કારણ એ હોઈ શકે કે જૈન દર્શન એ વાસ્તવાદી–અત્યંત વાસ્તવવાદી–રહ્યું છે, એટલે કે એણે કદી માયાવાદનો આશ્રય લીધો નથી. અને તેથી તેમાં કાલ્પનિક દર્શનને અવકાશ ન મળે તે સ્વાભાવિક છે. અને જે કલ્પનાને દેર છૂટો મૂકવાને અવકાશ જ ન હોય તો દર્શનભેદ સંભવે ક્યાંથી ? પ્રાચીનતાના મોહને પણ આનું એક કારણ ગણાવી શકાય. પ્રત્યેક સંપ્રદાયના એ પ્રયત્ન રહ્યો છે કે આસપાસનાં જાળાં દૂર કરીને તાત્વિક જેનધમ ઉપર જવાનો પ્રયત્ન કરવો. સમયબળે જૈનધર્મમાં જે નવી ધારા વહી હોય તે નવી છે માટે જૈનધર્મનું અંગ ન હોઈ શકે, જૈનધમ તો ભગવાન મહાવીરે જે કંઈ ઉપદેર્યું છે તેના પાલનમાં જ છે, એમાં સુધારને અવકાશ નથી, નવીનીકરણને અવકાશ નથી–આવી ધારણનો ફરી ફરી પ્રચાર કરવામાં આવ્યો છે. એથી, આપણે જોઈએ છીએ કે, સ્થાનકવાસી કે તેરાપંથી સંપ્રદાયે આગમ સિવાયના જેન સાહિત્યને વારસે ગુમાવ્યો. અને જૈન કળા કે શિલ્પને નામે જે કાંઈ ઓળખાય છે, તીર્થોને નામે જે પ્રસિદ્ધ છે, એ બધાં સાથે તેમને કાંઈ લેવા દેવા રહી નથી. અને પ્રારંભમાં જૈનધર્મની જે સ્થિતિ હતી તેમાં પહોંચવાને પ્રયત્ન કરવામાં આવ્યું છે; આ એક રીતે ઊલટી ગંગા વહાવવા જેવો પ્રયત્ન જ ગણાય. મનુષ્યની બુદ્ધિને ધર્મમાં કે દર્શનમાં કશું જ નવું કરવાને અવકાશ નથી–આવી માન્યતા આના મૂળમાં સ્વીકારવી પડે. પણ આ તો સ્વયં જૈનધર્મો જ ઉપદેશેલી આત્મનિર્ભરતાની જ વિરુદ્ધ ગણાય. હમણાં હમણાં વળી શ્રી કાનજી મુનિનો એક નવો સંપ્રદાય સ્થપાય છે, એને ઉભવ તો સ્થાનકવાસીમાંથી થયે છે, પણ સ્થાનકવાસીમાંથી નિકળેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy