SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જનધર્મ ૨૨ મહાવીરે સિદ્ધ કર્યું. પુદગલ–અજીવતત્વ–વિષેની વિચારણામાં પરમાણુતત્વ વિષે જૈન દર્શનમાં જે સૂક્ષ્મ ચિંતન મળે છે તે અન્યત્ર દુર્લભ છે. પરમાણુની વિવિધ વગણાઓને વિચાર અને એ વગણાઓ વડે કર્મ, ભાષા, મન, ઈદ્રિય, શરીર આદિ સુક્ષ્મસ્થૂલ પદાર્થો કેવી રીતે ઉત્પન્ન થાય છે એને સૂક્ષ્મ વિચાર એ જૈન દર્શનની આગવી વસ્તુ છે. અને આજના વૈજ્ઞાનિકો પરમાણુ વિષે જે હદે પહોંચ્યા છે તેથી પણ વધારે સૂક્ષ્મ વિચાર જૈનેએ પરમાણુ વિષે કર્યો છે એમ કેટલાક વૈજ્ઞાનિક પણ માનવા લાગ્યા છે. આ પ્રમાણે અહીં જૈન દર્શનનાં મૌલિક તત્ત્વોની તાર્કિક સંગતિ બતાવવાને આ પ્રયત્ન કર્યો છે. જેનધર્મ કે દર્શનનું આંતરિક સ્વરૂપ પ્રાપ્ત કરવું હેય તે આ તત્વોનું જ્ઞાન આવશ્યક છે. પણ પ્રત્યેક ધર્મનું કેવળ આંતરિક સ્વરૂપ જ હોતું નથી; એનું આવરણ-શરીર પણ એ ધર્મના નામે ઓળખાય છે. તો જૈનધર્મના એ શરીરને પણ વિચાર કરવો આવશ્યક છે. (૪) જૈન સંઘ અને એને પ્રચાર આગળ જે તત્ત્વજ્ઞાનનો નિર્દેશ કરવામાં આવ્યો છે એ તત્વજ્ઞાનનો જીવનમાં સાક્ષાત્કાર કરવા મથતા સાધકોનો સમુદાય એ જૈન સંઘ છે. જૈન સાધના વ્યક્તિગત સાધનાને પ્રાધાન્ય આપે છે, પણ મનુષ્ય એ સામાજિક પ્રાણી હાઈ એકલવિહારી રહી શકે નહિ, એટલે એવા સાધકને સંધ બન્યો. એ સાધકોએ સ્વના ઉદ્ધાર સાથે જ પરના ઉદ્ધારની પણ પ્રક્રિયા શરૂ કરી, અને એ પ્રક્રિયામાંથી પૂર્વ દેશોમાં ઉત્પન્ન થયેલો જેન સંઘ સમગ્ર ભારતવર્ષમાં અને થોડા અંશે બૃહત ભારતમાં પણ પ્રચારને પામ્યો. આંતરિક અને બાહ્ય બળનું પરિણામ ભગવાન મહાવીરની તપસ્યા અને ઉત્કટ સાધનાનું અનુકરણ જેટલા પ્રમાણમાં થયું એટલા પ્રમાણમાં જૈનધર્મને પ્રચાર પોતાના આંતરિક બળે થશે. પણ એ સાધનાને પ્રશંસનારા રાજાઓ અને ધનાઢો પણ મળ્યા, અને તેમણે પ્રચારમાં જે બળ વાપર્યું તે કેવળ આધ્યાત્મિક જ હતું એમ ન કહી શકાય. તે બાહ્ય બળ હતું અને તેમાં મુખ્ય મંદિરો અને મૂર્તિઓનાં નિર્માણ ઉપરાંત અમારિની આજ્ઞાઓ પણ ગણાવી શકાય. આ બાહ્ય બળની સાથે આંતરિક બળને જ્યાં સુધી સુમેળ રહ્યો, ત્યાં સુધી તે જૈનધર્મ ઉન્નત થતો ગયા; પણ જેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy