SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ચિંતન દ્રષ્ટા બન્યા રહે તા પછી એવા પુરુષને પૃથક્ માનવાની આવશ્યકતા પણ શી રહે ? એટલે પુરુષને જ વિકારસંપન્ન-અનિત્ય માનવા રહ્યો. બીજી બાજુ જન્મ અને મૃત્યુ પંત જ જો જીવની સ્થિતિ હોય તો પછી વાની આ સંસારમાં જન્મજાત જે વિવિધતા દેખાય છે, તેના ખુલાસા રળી રહેતા નથી. અને એ ખુલાસા કર્યંને માનવાથી થઈ જાય છે. તે કમ પૂર્વજન્મની વાસનારૂપ છે અને તેને જ કારણે જીવમાં જન્મજાત વૈવિધ્ય દેખાય છે. એટલે જીવને પુનર્જન્મના ચક્રમાં ફસાયેલા માનવા જ જોઈએ. અને એ માનવામાં તેની નિત્યતા પણ સ્વીકારવી આવશ્યક છે. અન્યથા એક જ જીવના નાના જન્મ-મૃત્યુ નહિ પણ નાના જીવના નાના જન્મ-મૃત્યુ માનવા જતાં કર્માંના નિયમ ખાટા પડે છે. કમ` એકે યુ પણ કરનારને ફળ મળ્યું નહિ અને જેણે નથી કર્યું' તેને ફળ મળ્યું`—આવી અવ્યવસ્થા ઊભી થાય, એટલે એથી બચવા જીવમાં નિત્યતા પણ માનવી જોઈએ——આમ વિચારી ભગવાને જીવતત્ત્વને નિત્ય અને અનિત્ય બન્ને રૂપે માન્યું. જીવદ્રવ્ય નિત્ય છે, જીવપર્યાયા અર્થાત્ જીવપરિણામા–વિકારા અનિત્ય છે, તે કાયમ રહી શકે નહિ, એટલે એવા વિકારા, જે સ્વાભાવિક નથી પણ કુજન્ય છે, તેને જીવથી દૂર કરી શકાય છે, એમ ફલિત થાય. અને એમ ફલિત થતાં મોક્ષપુરુષાર્થને અવકાશ પણ મળે, २० જે વસ્તુ ભગવાન મહાવીરે એક જીવ વિષે માની તે જ વરતુ સમગ્ર લેક વિષે એટલે કે સ`સારના સમગ્ર દ્રબ્યા વિષે—પછી તે જીવ હોય કે અજીવ તે બધાને વિષે—લાગુ કરી, એટલે તેમણે કહ્યું કે વિશ્વની સમગ્ર વસ્તુઓ અનેકાંતાત્મક છે. જેમ જીવ વિષે તેમ અજીવ કર્મ વિષે પણ કહી શકાય કે જે તે એક જ રૂપ હોય—નિત્ય જ હોય—તો સદા તે જીવ સાથે સ ંબદ્ધ જ રહે, કદી છૂટુ પડે જ નહિ, જો એમ બને તો તો મેક્ષ-પુરુષાર્થ કે ધમ સાધનાને અવકાશ જ રહે નહિ. એટલે જીવની જેમ કર્માં પણ વિકારી માનવુ' જ જોઈએ. તેને પણ પરિણામી માનવું જ જોઈએ. એથી એમ સંભવ બને કે આજે જે કમ જીવ સભદ્ર હોય તે કાલે છૂટુ' પણ પડી જાય. આત્માનું શરીરપરમાણુત્વ જીવ અનેક એ બન્નેને એતપ્રેત માનવાં હોય તો જીવનું પરિમાણ કેવુ માનવું એ બાબતમાં ભગવાન મહાવીરની એટલે કે જૈનધર્માંની સ્વતંત્ર નિત છે. વૈદિક ાિ આત્માને વ્યાપક માનનારી છે. તેથી વિરુદ્ધ ભગવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy