SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૯ એવી કોઈ તાકાત નથી. જે તેને તેમ કરતાં રોકી શકે. આ જ પુરુષાર્થવાદ છે અને તેનું પૂરું સમર્થન ભગવાન મહાવીરના ઉપદેશો તથા જીવનમાંથી મળી રહે છે. ચેતન-જડ સર્વ વસ્તુઓનું અનેકાંતાત્મક રૂપ જીવોની વિવિધતા અને એમના સૂક્ષ્મ–સ્થૂલ ભેદો તે પ્રત્યક્ષ જેવાં છે. પણ સ્વરૂપે જે બધા જ જીવો સરખા છે અને બધા જે જે અવસર મળે તે સિદ્ધાવસ્થામાં સમાન બનવાની શક્યતા ધરાવે છે, તો આ બધા ભેદનું કારણ શું ? એ કારણ તે કમ છે, એ કહેવાઈ ગયું છે. પણ જીવ અને કમને એ સંબંધને કેવી રીતે ઘટાવ, કમ સાથે સંબંધ થવા માત્રથી જીવ પિતાના સ્વરૂપમાં વૈવિધ્યને કેવી રીતે પ્રાપ્ત કરે છે અને સંસારપ્રપંચની રચના કેવી રીતે થાય છે, આનું સ્પષ્ટીકરણ દાર્શનિકે એ અનેક રીતે કર્યું છે. તે સ્પષ્ટીકરણમાં જૈનોની આગવી નિષ્ઠા છે; અને તેને આપણે અનેકાંતવાદને નામે અગર જૈન દર્શનને નામે ઓળખી શકીએ. કેટલાક દાર્શનિકે કહેતા કે જીવ અને શરીરને સંબંધ થવા છતાં તેથી વમાં કશો જ વિકાર નથી થતો. છતત્વ શાશ્વત છે. જે કાંઈ વિકારે છે તે જીવનસંબદ્ધ અચેતન પ્રકૃતિમાં જ થાય છે. જ્ઞાન આદિ ગુણ પણ છવના નહિ પણ પ્રકૃતિના જ છે. પુરુષ-પ્રકૃતિનું ભેદજ્ઞાન કે વિવેકજ્ઞાન થતાં પ્રકૃતિ અલગ થઈ જાય છે અને તે જ પુરુષને મોક્ષ કહેવાય છે. અર્થાત સંસાર અને મોક્ષ એ પ્રકૃતિ-જડ તત્ત્વના જ છે, પણ પુરુષમાં આરેપિત છે. પુરુષ તે અપરિણામી નિત્ય છે. આથી વિરુદ્ધ એવા પણ દાર્શનિક હતા, જેઓ કહેતા કે સંસાર કે મોક્ષ જેવી વસ્તુ જ નથી. જીવ પણ શાશ્વત નથી, જડ વસ્તુઓના અમુક પ્રકારના સંમિશ્રણથી જીવની ઉત્પત્તિ થાય છે. અને મૃત્યુની સાથે જ જીવની પણ સમાપ્તિ થાય છે. તે તેના પુનર્જન્મના ચક્ર અર્થાત્ સંસારની વાત જ કયાં રહી? અને જે સંસાર જ નથી તે મોક્ષ કેમ ? આ પ્રકારના બંને મત ભગવાન મહાવીરની સામે હતા. તેમણે એ બંને મતામાંથી સારતત્ત્વ લઈ લીધું અને અનેકાંતવાદની નિષ્ઠા કાયમ કરી. તેમણે જોયું કે જીવને એકાંત શાશ્વત માનવા જતાં તેમાં વિકારની સંભાવના જ રહેતી નથી. જે વિકારો દેખાય છે અને જે આત્માના છે એમ અનુભવાય છે, તે બધાને આત્માને નથી એમ કહેવાનો કશે અર્થ નથી. જડપ્રકૃતિ પુરુષાર્થ માટે પ્રવૃત્ત થાય અને પુરુષ કેવલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy