SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જનધર્મચિંતન જ જીવનમાં રહેતું નથી. પણ, આથી વિરુદ્ધ, જે આપણે આપણા પોતાના પુરુષાર્થમાં માનતા થઈએ તે, ધાર્યા મુજબ સફળતા મળે કે ના મળે તોપણ, સફળતા માટે સતત પ્રયત્ન કરવાનું આપણું બળ અને એ બળને ઝરો સુકાઈ જ નથી, જીવનમાં નિરાશાને સ્થાન મળતું નથી, નિરંતર ઉત્સાહ એ જીવનનું અંગ બની જાય છે. ભગવાન મહાવીરનો નિયતિવાદના ચક્રમાંથી સર્વથા છૂટવાને પ્રયત્ન છતાં અને તેમની નિયતિવાદને બદલે પુરુષાર્થવાદમાં નિષ્ઠા છતાં, આજે આપણને જૈન શાસન જે રૂપે ઉપલબ્ધ છે એ મૂળમાં જે મહાવીરના ઉપદેશ ઉપર જ આધારિત છે એમ માનવાને આપણો આગ્રહ હેય તે, આપણે માનવું જોઈએ કે ભગવાન મહાવીર પણ એ નિયતિવાદથી સર્વથા છૂટી શક્યા નથી; અથવા, અનેકાંતની ભાષામાં કહેવું હોય તે, એમ કહી શકાય કે કેટલીક બાબતમાં તેમણે નિયતિવાદ સ્વીકાર્યો અને કેટલીક બાબતમાં તેમણે પુરુષાર્થવાદને મહત્વ આપ્યું. જીવના બે ભેદ “ભવ્ય’ અને ‘અભવ્યને નિયતિવાદના સ્વીકારમાં મૂકી શકાય. પણ ભવ્ય જીવ જે પુરુષાર્થ કરી છુટકારે પ્રાપ્ત કરે છે તે પુરુષાર્થવાદના સ્વીકારનું દષ્ટાંત છે. ભવ્ય જ મોક્ષને અધિકારી છે અને અભવ્ય નહિ જ આ નિયતિવાદ છે. પણ ભવ્ય જે ગ્ય પુરુષાર્થ કરે તે જ મુક્તિ પ્રાપ્ત કરે છે, અન્યથા નહિ–આ પુરુષાર્થવાદ છે. વળી, શાસ્ત્રોમાં ભગવાન મહાવીરની સવજ્ઞતાના સમર્થનમાં જે કેટલાક ના ભાવિ ભવેનું વર્ણન આવે છે એ પણ જનધર્મમાં નિયતિચક્ર કેવું કાર્ય કરી રહ્યું છે તેની સૂચના આપી જાય છે. ઉપરાંત. દેશ અને કાળભેદે તીર્થંકરની અરિતત્વ–નાસ્તિત્વની જે માન્યતા છે તેમાં પણ નિયતિવાદ જ કામ કરી રહ્યો છે. અને સર્વજ્ઞતા ઉપર અતિ ભાર આપવાથી પુરુષાર્થવાદને સ્થાને કેવી રીતે નિયતિવાદ જ આવીને ઉભે રહે છે તેની પ્રતીતિ કરવી હોય તે શ્રી કાનજી મુનિનાં પ્રવચનો વા એટલે ખાતરી થશે કે જૈનધર્મમાં વિતિવાદનાં પણ બીજે સર્વથા નિમૂળ નથી થયાં. આ બધુ છતાં જેનધામ એ નિયતિવાદી નથી, ઘણુ પુરુષાર્થવાદી છે એ પણ એટલું જ સાચું છે અને તે એટલા માટે કે ભગવાન મહાવીરના ઉપદેશને ઝેક જીવના પુરુષાર્થ ઉપર છે. કર્મના બંધનનાં કારણેનું જે વિવેચન તેમણે ય છે તે બતાવે છે કે તેઓ નિયતિને નહિ પણ પુરુષાર્થને જ અતિ પ્રાપ્ત કરવામાં બળવાન કારણ માને છે. મનુષ્ય સ્વતંત્ર છે કે તે કાયમ લિપ્ત થાય કે તેથી છૂટવાને પ્રયત્ન કરે. ભવ્ય જીવન કષાયથી છૂટવું જ હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy