SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જેનધર્મચિંતન ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યા છે, જ્યારે એવા પણ કેટલાક છે, જે અવનતિને માગે જઈ રહ્યા છે. આમ સંસારી જીવોમાં મૂઢ અને અમૂઢ એવા બે ભેદ અથવા તે સંસારાભિનંદી અને સાધક એવા ભેદ કલ્પી શકાય છે. ધર્મનું કાર્ય સંસારાભિનંદીને સાધક બનાવવાનું છે અને સાધકને સાધનાનો માર્ગ ચીંધવાનું છે. એટલે સર્વપ્રથમ સર્વ ધર્મના મૂળમાં વિવેક અથવા સમ્યગ્દષ્ટિને સ્થાન મળ્યું છે. વિવેકને અર્થ થાય છે પૃથક્કરણ. જૈનધર્મે સ્પષ્ટ કર્યું છે કે આત્મા અને અનાત્મા-કમને ભેદ સમજવામાં આવે તો જીવની મૂઢ દશા નિરસ્ત થાય છે. જીવ અને કર્મનું સ્વરૂપ એક નથી–-છવ ચેતન છે અને કર્મ અચેતન છે - છતાં બન્ને એકમેકમાં એવાં ઓતપ્રોત છે કે જીવને એ ભાન નથી કે પોતાનું ખરું સ્વરૂપ શું છે ? એટલે માર્ગદર્શકનું પ્રથમ કાર્ય એ છે કે જીવને પિતાના સ્વરૂપની પ્રતીતિ કરાવી આપવી. આવી પ્રતીતિ થાય એટલે વિવેકદ્રષ્ટિ જાગે. એ વિવેક જાગે એટલે જીવ કમ અને કમના વિષાકને કારણે થતી અવસ્થાઓને પોતાની માનતા અચકાય. આવો આંચકે લાગે એટલે આત્મા અને શરીર, જે કર્મજન્ય છે, તે બનેનો ભેદ એ સમજી જાય અને એ સમજે એટલે તેની સાધનાની શરૂઆત થાય છે. આવી સાધના એ ધર્મ છે. જિનેએ બતાવેલી સાધના એ જૈનધર્મ છે. અહીં જિનનો અર્થ આપણે તીર્થકર ભગવાન મહાવીર કરીશું. જન સાધનાની વિશેષતા: અહિંસામયતા આત્મ-અનાત્મ-વિવેકની તે બધા ધર્મોએ વાત કરી જ છે અને તે વિવેક થયા પછીની ધર્મસાધના પણ સવ દર્શનમાં છે જ. તો પછી જૈનધર્મની આગવી વિશેષતા શી છે? વળી, સર્વ દર્શનમાં રાગ-દ્વેષ એ બે દોષ દૂર કરવા માટે જ સાધના કરવામાં આવે છે; આમાં પણ જૈનધર્મને કશું જ નવું કહેવાનું નથી. તો પછી એ સાધનાને જૈનધર્મનું નામ કેમ આપવામાં આવે? આ પ્રશ્ન છે. એ સાચું છે કે આત્મ-અનામ વિવેક અને રાગ–દનો ત્યાગ એ સર્વસાધારણ છે પણ સાધક કેટલીક નિષ્ઠાઓ લઈને એવી સાધનામાં પ્રવૃત્ત થાય છે અને એ નિષ્ઠાભેદને કારણે જ આદર્શમાં ભેદ પડે છે. એ નિષ્ઠાઓના વિવેચનમાં જ જૈનધમ બીજા ધર્મોથી જુદો પડે છે અને એને કારણે ૧૮ તેનું જુદું અસ્તિત્વ કાયમ થાય છે. એ નિષ્ઠાનું જ નામ જૈન દર્શન છે. જૈન દર્શનની પ્રથમ નિષ્ઠા અહિંસામાં છે. ભગવાન મહાવીરના વખતમાં ધર્માચરણમાં પશુવધને સ્થાન હતું. યજ્ઞમાં પશુને વધ કરી મનુષ્ય પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy