SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૩ ઈશ્વરવાદને સ્થાને કર્મવાદ જેનધમમાં જગકર્તા. ઈશ્વરને સ્થાન નથી. આવા ઈશ્વરની કલ્પના વિનાના ધર્મને ધર્મ કહી શકાય નહિ, એવી ચર્ચા પશ્ચિમના વિદ્વાનોમાં ચાલી હતી. પણ એ ચર્ચા કરનારા વિદ્વાન સમક્ષ ખ્રિસ્તી ધર્મ અને તેના જેવા ઈશ્વરવાદી ધર્મો જ હતા. જ્યારે તેમને બૌદ્ધ ધર્મ અને જૈનધર્મને પરિચય થયો ત્યારે જ તેમણે જોયું કે ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે છે. એટલે તેમણે હવે ધર્મની વ્યાખ્યા જ બદલી નાખી અને બૌદ્ધ–જેનનો પણ સમાવેશ ધર્મોમાં કરવા લાગ્યા છે. જે ઈશ્વર નથી તો પછી સંસારમાં જે એક વ્યવસ્થા છે તેને આધાર શો છે? ઈશ્વરવાદી ધર્મો તે કહી શકે છે કે સર્વશક્તિસંપન્ન ઈશ્વર જગનિયતા છે. તે જ બધું વ્યવસ્થિત કરે છે. આ સંસારચક્ર ઈશ્વર દ્વારા સંચાલિત છે. પણ આ ઈશ્વરના સ્થાનમાં જેને કર્મને માને છે. જૈનધર્મની માન્યતા છે કે જીવોનાં કમીને કારણે જ સંસારચક ગતિમાન છે. અને એમનાં કર્મને કારણે જ વ્યવસ્થા પણ છે. જેના આ કર્મવાદને ઈતર ભારતીય ધર્મો ઉપર પણ એટલો પ્રભાવ પડ્યો જ છે કે ઈશ્વર માનનાર પણ, ઈશ્વરની કેવળ મરજી ઉપર બધું ન છોડતાં, છોનાં કર્મને આધારે ઈશ્વર કફલદાયક છે એમ તેઓ સ્વીકારતા થઈ ગયા છે. આ રીતે એક પ્રકારે ઈશ્વરની અપેક્ષાએ જેનેનો, કર્મવાદ જ પ્રબળ બને છે. કારણ, ઈશ્વરકૃત વ્યવસ્થા પણ છેવટે તો કર્માધીન જ છે. જેનધર્મની જે કોઈ પણ વિશેષતા હોય તે તે આ કમવિવેચનની છે. કર્મને જ્યારે સંસારચક્રના ચાલક બળ તરીકે સ્વીકાર્યું ત્યારે એને આધારે જ બધી ઘટનાઓ અને જીવની વિશેષતાઓને ખુલાસો કરવો જરૂરી હતું. એટલું નહિ પણ, એ કર્મના બળને ઘટાડી આત્મબળ કેમ વધારવું એની પ્રક્રિયા પણ શોધવી જરૂરી હતી. જૈનધર્મ એ ખુલાસે અને એ પ્રક્રિયાની શોધ કર્યા જ છે; અને એમાં જ જૈનધર્મનું સ્વરૂપ સંનિહિત છે. જીના પ્રકાર અને સાધનાને માર્ગ આ સંસારના કોઈ પણ ધર્મનું ધ્યેય જીવને તેની વિદ્યમાન સ્થિતિમાં અસંતોષ જન્માવી ઉન્નતિને ભાગે લઈ જવાનું છે. જેનધર્મે ઉન્નતિની પરાકાષ્ઠા સિદ્ધાવસ્થામાં માની છે. એટલે જીવોના સંસારી અને સિદ્ધ એમ બે પ્રકાર સ્વતઃ ફલિત થાય છે. કર્મોને બંધનથી બદ્ધ એ સંસારી છે અને કર્મોના બંધનથી મુક્ત એ સિદ્ધ છે. સંસારી જીવોમાં પણ એવા કેટલાક છે. જે સતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy