SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ચિ'તન અને વિનયના નિયમે પશુ બન્યા. એટલે કે ઉક્ત પ્રકારે પરસ્પર સમન્વય થયા છે, છતાં બન્નેની ભેદક રેખા-વેદમાન્યતા અને અમાન્યતા—એ કાયમ હાઈ તેઓમાં સર્વાંગે એકતા કદી આવી નથી અને આવવા સ`ભવ પણ નથી. કારણ, બન્નેની મૂળ નિષ્ઠામાં જ ભેદ છે. એનું નિવારણ ન થાય ત્યાં સુધી સપૂણ્ એકતાના સંભવ નથી. . નિષ્ઠાબેનુ કારણ ત્યારે હવે એ વિચારવું પ્રાપ્ત થાય છે કે એ મૂળ નિષ્ઠા બંનેની કેમ જુદી રહે છે? તેમાં અકથને જે અવકાશ નથી મળતા તેનું કારણ શું છે? સમગ્ર વિશ્વના મૂળમાં કોઈ એક જ પરમ તત્ત્વ છે, તેમાંથી જ આ વિશ્વપ્રપચની સૃષ્ટિ છે—આ છે વૈદિક નિષ્ઠા. એ તત્ત્વને બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર આદિ વિવિધ નામે ઓળખાવવામાં આવે છે. આ મૂળ નિષ્ઠાને કાયમ રાખીને જ બધી પર`પરાઓમાં જુદા જુદા નામે એ પરમતત્ત્વની ઉપાસનાને સ્થાન મળ્યું છે; જોકે એ એક તત્ત્વમાંથી કે એ એક તત્ત્વને આધારે કે નિમિત્તે સમગ્ર વિશ્વસૃષ્ટિની ઉત્પત્તિનું સ્પષ્ટીકરણ કરવા અનેક મતમતાંતર વિવિધ વૈદિક દઈને રૂપે વિકસ્યાં છે, પણ એ બધામાં એક' ઉપરની નિષ્ઠા કાયમ છે. તેથી ઊલટું, શ્રમણ પર પરામાં એવું કાઈ એક તત્ત્વ સ્વીકારાયું નથી, જે સમગ્ર વિશ્વપ્રપ`ચ માટે જવાબદાર હોય. પણ આ સંસારલીલા અનાદિ કાળથી ચાલી આવી છે, અને તેને માટે જવાબદાર જુદા જુદા જીવા સ્વયં જ છે, ખીજું કાઈ નહિ. એટલે અનાદિ કાળથી એક નહીં, પણ અનેક મૂળ તત્ત્વા છે, એટલે ખરી રીતે વિશ્વસૃષ્ટા તરીકે ફાઈની ઉપાસનાને સ્થાન નથી. વૈદિક પરંપરામાં પરમ ઉપાસ્યની કરુણા હાય તેા પરમથી છૂટા પડેલા જીવાને પરમ પોતાની અંદર સમાવી લે—એટલે જીવેા પરમભાવ પ્રાપ્ત કરવા પરમની ઉપાસના કરે એ સ્વાભાવિક ક્રમ છે. પણ શ્રમણામાં એવું કેાઈ પરમ તત્ત્વ ન હોઈ તેની સાથે મળવાનેા કે તેમાં સમાઈ જવાને! પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતા. એટલે શ્રમણેામાં એવા મૌલિક પરમની ઉપાસનાને સ્થાન નથી, પણ અનાદિ કાળથી સંસારનુ જે ચક્ર ચાલે છે, એ ચક્રની ગતિને શકવામાં જ પુરુષાર્થાંની કૃતા'તા છે. એવા પુરુષાથ જેણે કર્યાં હેાય તે આદર્શ વ્યક્તિ બને છે; અને તેવા પુરુષા` કાઈ કરે તે! તે એવી વ્યક્તિનું અનુકરણ માત્ર કરે છે, એમ માનવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy