SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ પણ શ્રમણામાં પણ બ્રાહ્મણેાની દેખાદેખીએ ઉપાસનાનું તત્ત્વ દાખલ થયું જ છે. પણ મૂળ નિષ્ઠામાં ભેદ હાઈ ઉપાસના છતાં તે એકપક્ષી ઉપાસના છે. ઉપાસ્ય ઉપાસક અર્થે કશું જ કરવા સમથ નથી. માત્ર તે ઉપાસ્ય ધ્રુવ તારા છે, જેને નજર સમક્ષ રાખી ઉપાસક પેાતાના માર્ગ નક્કી કરે છે. એટલે ખરા અમાં આને ઉપાસના કહેવાય જ નહિ. છતાં પણ બ્રાહ્મણ પરંપરાની જેમ શ્રમણ પરંપરામાં મંદિર અને મૂર્તિના આડંબરને જે પૂર્ણ સ્થાન મળ્યુ છે તે શ્રમણેાના તાત્ત્વિક ધમાં નહિ, પણ બાહ્ય ધમમાં સમાવિષ્ટ છે એમ માનવું જોઈએ. આને ખુલાસા આ પ્રમાણે પણ કરી શકાય કે ઉપાસના પરમ તત્ત્વની હાય કે પેાતાની, પણ તેના નામ બાહ્ય આચારમાં તા એક જેવા જ હોઈ શકે. ભેદ જે છે તે એ છે કે એક પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા મથે છે, જ્યારે ખીજે પેાતાને, એકને મતે વસ્તુત: પરમ એ ઉપાસકથી પૃથક્ નથી; જ્યારે બીજાને મતે પણ પોતે પણ પોતાથી ભિન્ન નથી. એકને મતે ઉપાસ્ય આદભૂત પરમ તત્ત્વ મૂળે એક જ છે અને અ ંતમાં પણ એક જ છે, પણ ખીજાને મતે મૂળમાં અને 'તમાં પોતાથી ભિન્ન નહીં છતાં બીજાથી તે! ભિન્ન જ છે. આ ભેદને કારણે બ્રાહ્મણ અને શ્રમણની નિષ્ઠામાં જે ભેદ છે તેને સપૂર્ણ સમન્વય શક નથી. જેટલી હદે શકય હતા તે તે બને સમાજે કરી જ લીધે છે. જેને આપણે અત્યારે જૈનધમ ને નામે એળખીએ છીએ તેનું પ્રાચીન રૂપ શ્રમણ ધર્માં હતું તેના ટૂંકા પરિચય આપ્યા પછી હવે આપણે એ જોઈએ કે શ્રમણ ધર્માંના એક સ`પ્રદાય રૂપે જૈનધમ ના ઇતિહાસ શા છે ? તેની વિશેષતા શી છે ? તેનું સ્વરૂપ શું છે? (૨) જૈનધમ ના ઇતિહાસ જૈનધમ એ શ્રમણ સંપ્રદાય હાઈને, તથા તેની અને શ્રમણાના ખીજા સંપ્રદાયા વચ્ચે ઘણી બાબતમાં સામ્ય હોઈને, પાશ્ચાત્ય વિદ્વાનેમાં એક વખત એવા ભ્રમ હતા કે બૌધમાંથી જૈનધર્મ જુદા નથી, પણ યાકેાખી જેવા વિદ્વાનાએ એ ભ્રમને તા યારનાય ભાંગી નાંખ્યા છે. ભારતવર્ષના વિદ્વાનેામાં તે એવા ભ્રમ કદી જ થયેા પણ નથી, એટલે પણ્ એ વિષયની ચર્ચા અહી અસ્થાને છે. જૈનધર્મીના ઇતિહાસ છે અને તેનું દર્શીન પણ છે. ઇતિહાસ પોતાની રીતે ખુલાસા કરે છે અને `ન એ તે શાશ્વત સત્યની ચર્ચા કરતુ હોઈ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy