SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન. બ્રાહ્મણોમાં યજ્ઞસંસ્થાને પ્રાધાન્ય સાધે જ પુરોહિત સંસ્થાનો ઉદભવ થયો અને પરિણામે બ્રાહ્મણ વર્ણ શ્રેષ્ઠ અને બીજા હીન એવી ભાવના પ્રચારમાં આવી. એટલે સમાજમાં જાતિગત ઉચ્ચનીચતા થઈ અને તેણે ધર્મક્ષેત્રમાં પિતાને પગ જમાવ્યો, અને મનુષ્યસમાજના ભાગલા પડ્યા. આથી ઊલટું, શ્રમોમાં આવી કઈ પુરોહિત સંસ્થાના ઉદ્દભવને અવકાશ જ હતો નહિ. આમ છતાં પણ બ્રાહ્મણ-શ્રમણના મિલનનું એક પરિણામ એ આવ્યું કે શ્રમણોમાં જાતિગત ઉચ્ચ-નીચતા, જેનો તેમના સિદ્ધાત સાથે કઈ મેળ નથી. તેને શ્રમણોએ બહુજનસમાજમાં સ્વીકાર કર્યો. જોકે શ્રમણ સંઘમાં એવા કોઈ ભેદને પ્રાચીન કાળમાં સ્થાન ન હતું, પણ આજે આપણે જોઈએ છીએ કે એ શ્રમણ સંધ પણ જાતિવાદના ભૂતથી ગ્રસ્ત થયેલ છે. આથી ઊલટું, બ્રાહ્મણ પરંપરામાં મધ્ય કાળમાં એવા સંપ્રદાયો અને સંત થયા છે, જેમણે–જાતિગત ઉચ્ચ-નીચ ભાવને કોઈ મહત્વ આપ્યું નથી : આ શ્રમણ ભાવનાનો વિજય ગણી શકાય.. ભેદની ગૌણતા શ્રમણ અને બ્રાહ્મણને એક મોટે ભેદ નિવૃત્તિ અને પ્રવૃત્તિને કારણે છે. શ્રમણનો સમગ્ર આચાર નિવૃત્તિપ્રધાન હતા અને બ્રાહ્મણોને સમગ્ર આચાર પ્રવૃત્તિપ્રધાન હતા. બ્રાહ્મણની યજ્ઞસંસ્થા અને સમગ્ર કમેકડે અને તેના ફળાફળની ચર્ચા કરીએ તો સ્પષ્ટ થશે કે એ દ્વારા સ્વર્ગસુખની પ્રાપ્તિ કરવાને એ પ્રયત્ન હતા. તેમાં નિવૃત્તિને નહિ, પણ પ્રવૃત્તિને સ્થાન હતું. આથી ઊલટું, શ્રમણોને મન પ્રવૃત્તિ એ સર્વથા ત્યાજ્ય છે. તેમને મન ક્રિયાકાંડે પણ ત્યાજ્ય જ છે; કરવા કરતાં ન કરવું એ જ એમને મન મહત્ત્વની વસ્તુ છે. બ્રાહ્મણ કર્મકાંડના રહસ્યનો વિચાર કરીએ તે તેમાં એ કર્મકાંડ કેવળ વ્યક્તિપ્રધાન નથી પણ સામૂહિક છે. એટલે બ્રાહ્મણ ધર્મ વ્યક્તિને ધર્મ નહીં પણ સમાજને ધર્મ સિદ્ધ થાય છે. એથી ઊલટું, શ્રમણ ધમ એ નિવૃત્તિપ્રધાન હોઈ તે કેવલ વ્યક્તિને ધર્મ છે. એકલી વ્યક્તિ પણ, કોઈની પણ સહાયતા વિના, એ ધર્મનું આચરણ કરી શકે અને કરવું જોઈએ એ અપેક્ષાથી એમાં સમગ્ર આચારની ગોઠવણ છે. આવી એકાન્તિક નિવૃત્તિમાં પરસ્પરોપકારની ભાવનાને અથવા તો મહાકરુણા કે કરુણાને વિશેષ અવકાશ નથી રહેતો; જયારે બ્રાહ્મણ ધર્મ પ્રવૃત્તિપ્રધાન ધર્મ હોઈ અને ફળાફળની સમગ્ર જવાબદારી કોઈ ઉપાય ઉપર હાઈ તેમાં મહાકરણ કે કરણને અવકાશ રહે છે. આથી પરસ્પરોપકારને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy