SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આત્મીયતાભરી પ્રેરણા મળતી રહી ઃ પરિણામે એમની વિદ્વત્તા સોળે કળાએ ખીલી ઊઠી. ન્યાયતીર્થ જેવી એકાદ સામાન્ય પદવી એ સિવાય ન કોઈ મોટી પરીક્ષા કે ન કોઈ મોટી પદવી; છતાં તેઓ આજે પી.એચ.ડી.ના અભ્યાસીઓના ગુરુ, પદને પામ્યા છે, અને કાશી વિશ્વવિદ્યાલય જેવી વિદ્યાસંસ્થામાં ભારે વશ રળીને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી ગુજ. રાતની એક માતબર અને ખૂબ આશાપ્રેરક સંશોધન-સંસ્થાના ડિરેકટરપદે, કોઈ પણ જાતના પ્રયત્ન વગર, પહોંચી શક્યા છે, એ બીના અત્યારના કેવળ વધુ પડતા ડિગ્રીઘેલા સમયમાં વિદ્યાના અર્થીઓને વિચાર કરવા પ્રેરે એવી, અને પ્રશાંત રીતે, નિષ્ઠાપૂર્વક વિદ્યાવ્યાસંગ કરનાર ઉપર માતા સરસ્વતીની કેવી અપાર કૃપા વરસે છે એ બતાવીને બીજાઓને સાચી વિદ્યા-ઉપાસના કરવાની, પ્રેરણા આપે એવી છે. - શ્રી દલસુખભાઈ ભારતીય બધાં દર્શને અને ધર્મોના અભ્યાસી વિદ્વાન હોવા ઉપરાંત પશ્ચિમના અથવા પરદેશના તત્ત્વજ્ઞાનનું પણ તેમણે યથાશક્યા આકલન કર્યું છે. એને લીધે એમની ઐતિહાસિક અને તુલનામક દષ્ટિ વધુ વિશદ બની છે. ઉપરાંત ઈતિહાસ અને તુલનાથી પર લેખાતી પ્રાચીન પરંપરાઓનું પણ તેઓ એ રીતે મહત્ત્વ કે મૂલ્યાંકન આંકવા ટેવાયેલા છે, અને છતાં એમની દૃષ્ટિ તે હમેશાં વ્યક્તિ અને સમાજ બંનેને અભ્યદય સાધી શકે એવા સત્ય કે સારને તારવવાની જ રહે છે. કહેવું જોઈએ કે સહૃદયતાપૂર્ણ, ગુણશોધક અને સત્યગ્રાહી વિદ્વત્તાનું જ આ સુપરિણામ છે. જૈન સંસ્કૃતિના તો તેઓ વિશિષ્ટ, સિદ્ધહસ્ત અને મમત્ત અભ્યાસી છે. જૈનધર્મના પ્રાણભૂત સમગ્ર આગમગ્રંથોનું અને જૈન દર્શનને પ્રાણરૂપ બધા દાર્શનિક ગ્રંથોનું એમણે સમાનભાવે ઊંડું અધ્યયન કર્યું છે. આને લીધે જૈન આચાર અને એ આચારના પાયારૂપ જેન તત્ત્વજ્ઞાનના તેઓ એક અધિકૃત વિદ્વાન બની શક્યા છે. જેમધર્મના બે પ્રાચીન સંપ્રદાયે ભવેતાંબર અને દિગંબર અને ઉત્તરકાલીન અથવા તો કંઈક અર્વાચીન કહી શકાય એવા બે ફિરકાઓ સ્થાનક વાસી અને તેરાપંથી, તેમ જ બીજા અવાંતર ફિરકાઓના તાત્ત્વિક ભેદ તેમ, જ મુખ્યત્વે કરીને આચારભેદને પણ તેઓ સારી રીતે જાણે છે. એ કહેવાની જરૂર નથી કે આને લીધે તેઓ સમગ્ર જૈન સાહિત્યના પણ પંડિત બન્યા છે. જૈન સંસ્કૃતિનું આવું સર્વસ્પર્શી અધ્યયન એમણે ભારતીય દર્શન, ધર્મો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy