SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યના પ્રવાહોને નજરમાં રાખીને કર્યું છે, તેને લઈને એમના નિરૂપણમાં વિશેષ સ્પષ્ટતા અને સચોટતા જોવા મળે છે. આ નાના સરખા સંગ્રહમાં આપવામાં આવેલ જેનધર્મ અને દર્શનને લગતા થોડાક લેખો પણ આ વાતની સાખ પૂરી શકે એમ છે. આ સંગ્રહમાં શ્રી દલસુખભાઈને ૧૪ લેખ આપવામાં આવ્યા છે; કો. લેખ ક્યાંથી લેવામાં આવ્યું છે તેને સ્થળનિર્દેશ તે તે લેખને અંતે કરવામાં આવ્યો છે. આમાંના ૪ સિવાયના બધા લેખો મૂળે ગુજરાતીમાં જ છે; જે ચાર હિન્દી લેખોનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે, તેમાંના “ભગવાન મહાવીર' નામક દસમા લેખનું ભાષાંતર અમારા મિત્ર શ્રી શાંતિલાલ વનમાળી શેઠે કરેલું, છપાયેલું તૈયાર મળ્યું છે; બાકીના ત્રણનું ભાષાંતર મેં કર્યું છે. આ બધાં લખાણે તે તે સ્થાનેથી જેમ ને તેમ લઈ લેવામાં આવ્યાં છે, એવું નથી. એ બધાં ઝીણવટથી વાંચીને અને શ્રી દલસુખભાઈની સલાહસૂચનાઓને લાભ લઈને, એમાંથી કેટલીક આનુષંગિક કે પ્રાસંગિક બાબતે ગાળી નાખવામાં આવી છે, અને અર્થની સુગમતાની દૃષ્ટિએ ક્યાંક ક્યાંક મૂળ લખાણમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત, દરેક લેખમાં બને એટલા વધુ પેટા મથાળાં આપીને વિષયનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ લેખોની એક વિશેષતા તરફ ધ્યાન દોરવું જરૂરી લાગે છે. આ બધાય લેખ જૈનધર્મ કે તત્ત્વજ્ઞાનને લગતા જ છે. આમ છતાં મોટા ભાગના લેખમાં તે તે વિષયનું નિરૂપણ કેવળ જૈન સંસ્કૃતિને લગતી સામગ્રીને આધારે એકાંગી કરવામાં નથી આવ્યું, પણ હિંદુ અને બૌદ્ધ દશન, ધર્મ અને સંસ્કૃતિના પ્રવાહને નજરમાં રાખીને વ્યાપક રીતે કરવામાં આવ્યું છે. આને લીધે આ લખાણો વિશેષ વિશદ, વાચનક્ષમ, વિચારપ્રેરક અને માહિતીપૂર્ણ બન્યાં છે. આ લખાણોમાં પુનરુક્તિ હેવાનું તો શ્રી દલસુખભાઈએ પિતે જ કહ્યું છે. પણ જૈનધર્મ-દર્શન-સંસ્કૃતિ જેવા વ્યાપક વિષયનાં જુદાં જુદાં અંગોને અનુલક્ષીને જુદે જુદે સમયે લખાણમાં પુનરુક્તિ આવી જાય એ સ્વાભાવિક છે. એને દૂર કરવા જતાં વિષયનિરૂપણની અખંડિતતા ખંડિત થઈ જાય એમ હોવાથી એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. વળી, આવા નાના સરખા સંગ્રહમાં જૈનધર્મ-દર્શન અંગે બધું જ્ઞાતવ્ય રજુ થઈ ન શકે, એ પણ સમજી શકાય. એવી વાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy