SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ હવે લેખના વિષય વિષે કંઈક નિર્દેશ કરવો જોઈએ. અનુક્રમ અને અંતર્ગત મથાળાં ઉપરથી લેખેને સ્થૂળ પરિચય તો થઈ જાય છે. પણ દરેક લેખના વિષયની ચર્ચાને યોગ્ય રીતે સમજવી હોય તો તે માટે વાચકે પોતે જ ધીરજપૂર્વક એનું આકલન કરવું જોઈએ. જ્યારે કઈ લેખક કેઈ એક વાડા બહારની તટસ્થ દૃષ્ટિથી લખવા કે બેલવા પ્રયત્ન કરે છે, ત્યારે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાચકેમાં જેઓ પંથગત સંસ્કારના હોય તેઓને કેટલુંક ન પણ સમજાય, અને સમજાય તો કેટલુંક રુચે યણ નહીં. બીજા કેટલાક વાચક વિશાળ દષ્ટિવાળા હોય તો એમને એમ પણ લાગવાને સંભવ ખરો કે આ બધું નિરૂપણ પંથેની આસપાસ ચાલે છે. વળી, કેટલાક વગર અભ્યાસે પણ, એવી ઉતાવળી પ્રકૃતિના હોય છે કે તેમને શાસ્ત્ર, ધમ, પંથ આદિની વાતો અને ચર્ચાઓ અસામયિક લાગે છે. પણ આ લખાણો બે દૃષ્ટિએ લખાયેલાં છે. એક તો જેઓ ખરા જિજ્ઞાસુ હોય, છતાં પંથ કે વાડાની સાંકડી ગલીથી બહાર ગયા હોય, તેમને તેમની જિજ્ઞાસા સંતોષાય અને તેમની દૃષ્ટિ વિશાળ બને એ દૃષ્ટિથી; બીજી દષ્ટિ એ છે કે જેઓ જિજ્ઞાસુ હોય, ઉદાર દૃષ્ટિથી વાંચવા-સમજવાની વૃત્તિવાળા હોય, પણ એક યા બીજે કારણે તેઓ ઈતિહાસ અને શાસ્ત્રીય વહેણેથી વિશેષ પરિચિત ન હોય તેમને એના આધારે પૂરા પાડવા અને તેનું અર્થઘટન પિતાને સમજાયું હોય તે રીતે તેમની સમક્ષ રજૂ કરવું. ઉપર સૂચવેલ દષ્ટિએ જોતાં પ્રસ્તુત લેખસંગ્રહ જેન કે જૈનેતર દરેકને વિશેષ માર્ગદર્શક અને જિજ્ઞાસાપ્રેરક થઈ પડશે, એમ મને નિશંક લાગે છે. તેથી શ્રી જગહનદાસ કોરા મારક પુસ્તકમાળા દ્વારા આવા પુસ્તકનું પ્રકાશન થાય એ સમવસરનું છે. સરિતકુંજ, અમદાવાદ-૯ | સુખલાલ ૧૫મી ઓગસ્ટ, ૧૯૬૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy