SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ૧૩૯ અનેકાંતવાદના પ્રાસાદની ભવ્ય રચના અને વિકાસ માટે ભગવાન મહાવીરથી માંડીને ઉપાધ્યાય યશવિજય સુધી બરાબર કાળક્રમે પ્રયત્ન થતિ રહ્યો છે. પરિણામે એમ નિ:સંકેચપણે કહી શકાય કે ભારતીય સમગ્ર દર્શનોના વિકાસ સાથે સાથે જૈન દર્શન પણ તે સૌને આત્મસાત કરતું ભારતીય દર્શનની વૈજયન્તી લહેરાવે છે. અને એ એક જ દર્શનને અભ્યાસ કરવામાં આવે તો સમગ્ર ભારતીય દર્શનના વિકાસને તાદશ ઈતિહાસ વાચક સમક્ષ ખડે થઈ જાય છે. (૩) અનેકાન્તદષ્ટિએ વિવિધ મને સમન્વય જૈન દર્શનની અનેકાંતવાની ભાવના વિષે આટલે વિચાર કર્યા પછી તેનું અવતરણ કેવા કેવા માગે ક્યાં ક્યાં જૈનોએ કર્યું છે તે વિષે સંક્ષેપમાં વિચાર કરી લઈએ. સૌ ધર્મોમાં પોતપોતાનાં શાસ્ત્રની જે પ્રતિષ્ઠા હોય છે તે અનુપમ છે. જૈનધર્મમાં પણ પિતાનાં શાસ્ત્રની પ્રતિષ્ઠા અનુપમ છે જ. છતાં પણ ત્યાં અનેકાંતભાવના કેવી નિરાગ્રહવૃત્તિ ધારણ કરી શકે છે, તેનું ઉદાહરણ જેનેનું નંદીસૂત્ર નામનું શાસ્ત્ર પૂરું પાડે છે. નંદીસૂત્રમાં સભ્યશાસ્ત્ર અને મિથ્યાશાસ્ત્રની કસોટી આપવામાં આવી છે. તેમાં કહ્યું છે કે, સ્વયં વ્યક્તિ જે સમ્યકત્વી અર્થાત વિવેકી, જ્ઞાની હોય તે તેને માટે જૈન આગમો કે અજેને મહાભારત આદિ શાસ્ત્રો એ બધાં જ સરખી રીતે સમ્યફ શાસ્ત્રો છે. પણ જે વ્યક્તિ સ્વયં મિથ્યાત્વી અર્થાત અવિવેકી. અજ્ઞાની હોય તો તેને માટે જેન–અજેન સર્વ શાસ્ત્રો મિથ્યાશ્રુત-મિથ્યાશાસ્ત્રો બની જાય છે. આમ માનવાનું કારણ એ છે કે, એકની એક વસ્તુ જેમ દ્રષ્ટાની ભાવના પ્રમાણે વિવિધ રૂપ ધારણ કરે છે, તેમ શાસ્ત્રો પણ દ્રષ્ટાની ભાવના પ્રમાણે જ વિવિધ રૂપ ધારણ કરે છે. આથી કઈ એક શાસ્ત્ર એકાંત સમ્યફ કે મિથ્યા છે એવો નિયમ કરી શકાય નહિ. સૂર્ય પ્રકાશ આપે છે ખરે, પણ ઘૂવડને એ કશા કામને નથી, ચરોને એ પોતાની ઈષ્ટ સિદ્ધિમાં બાધક જ બને છે, તેમ તીર્થંકરો કે મહાપુરુષો વિષે પણ છે. સર્વજનહિતનું ધ્યેય લઈ ચાલવા છતાં તેઓ સરખી રીતે સૌના પૂજ્ય બનતા નથી; કારણ, ગ્રાહકની યોગ્યતા-અયોગ્યતાને લીધે તેમના પ્રત્યે આકર્ષણ -વિકર્ષણ થાય છે. એટલે તીર્થંકર પણ સૌને માટે સરખી રીતે તીર્થકરરૂપ બની શકતા નથી. આ જ ન્યાય સૌ વસ્તુ વિષે અનુભવાય છે. વસ્તુ એની એ છતાં, દ્રષ્ટાના દષ્ટિબિંદુ પ્રમાણે, તે વિવિધ દશને ઊભાં કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy