SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જૈનધર્મચિંતન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય–વસ્તુદર્શનના જે નાના પ્રકારે છે એ બધાનું વગીકરણ જૈન આચાર્યોએ, ભગવાન મહાવીરને અનુસરીને, બે દૃષ્ટિ કે બે નયામાં કર્યું છે : એક છે ભેદર્શન અને બીજુ છે અભદદર્શન; એક છે વિશેષગામી દર્શન અને બીજુ છે સામાન્યગામી દર્શન; એક છે અનેકત્વનું દર્શન અને બીજુ છે એકત્વનું દર્શન. દર્શન ગમે તે હોય, પણ તે આ બેમાંથી ગમે તે એકમાં સમાવિષ્ટ થઈ જ જવાનું. જૈન પરિભાષામાં અભેદ દર્શનને દ્રવ્યાર્થિક નય અને ભેદર્શનને પર્યાયાથિક નય કહે છે. ભારતીય તો શું પણ વિશ્વના કોઈ પણ દાર્શનિક મન્તવ્યને આ બેમાંથી ગમે તે એકમાં સમાવેશ થઈ શકે છે એવો દાવ જૈન આચાર્યો છે. અને તેમણે અત્યાર સુધીમાં ઊભા થયેલા તેમને જ્ઞાત સમગ્ર દર્શને આ બેમાંથી ગમે તે એકમાં કેવી રીતે સમાવી શકાય છે તે યુક્તિપૂર્વક બતાવ્યું પણ છે. એ બે નયોના અવાંતર ભેદ સાત કરવામાં આવ્યા છે અને તે સાત નિયામાં ભારતીય દર્શનના સમગ્ર વિસ્તારને સમાવી લેવામાં આવ્યો છે. વ્યવહારનય–કવ્યાર્થિક નયના એક ભેદ તરીકે વ્યવહારનય માનવામાં આવે છે. વ્યવહારનું તાત્પર્ય એ છે કે લોકવ્યવહારને પ્રમાણ માનીને ચાલવું. લોકવ્યવહાર વસ્તુગત સૂકમ ભેદોને ધ્યાનમાં લીધા વિના જ સ્થૂલ અભેદ માનીને ચાલે છે. આથી વ્યવહારનય દ્રવ્યાર્થિકનો ભેદ છે અને જ્ઞાનને નહિ, પણ અજ્ઞાનને મહત્ત્વ આપે છે. ચાર્વાકે વ્યવહારનયવાદી જ છે, કારણ કે તેઓ પણ માત્ર ભૂતને જ માને છે અને સ્વતંત્ર એવા જ્ઞાનમય ચૈતન્ય આત્માને માનતા નથી, કારણ કે તેઓ લેકવ્યવહારને જ પ્રમાણ માનીને ચાલે છે; આત્મા જેવી સૂક્ષ્મ વસ્તુના વિચારમાં પડતા નથી. આથી તેઓ અજ્ઞાનવાદને જ આશ્રય લે છે. ચાર્વાકને વિરોધ તે દાર્શનિકોએ આત્મતત્ત્વ સ્વતંત્ર માનીને કર્યો જ છે. જૈન દર્શનમાં છવ અને અજીવ તોની માન્યતા સ્થિર થયેલી છે. આથી જડ ભૌતિક વસ્તુ પૂરતું ચાર્વાક દર્શન સાચું છે, પણ ચૈતન્ય વિષેની તેની માન્યતા ભ્રામક છે; એટલે તે પણ એક નયને અનુસરે છે એમ માનવું રહ્યું. અને એક નયમાં પૂર્ણ સત્ય પ્રગટ થતું નથી, પણ સર્વનોમાં પૂર્ણ સત્ય પ્રગટ થાય છે. આથી ચાર્વાકને પણ એકાંત અસત્ય દર્શન કહી શકાય નહિ; તેમાં પણ આંશિક સત્ય તે છે જ, એમ જૈન દર્શન કહે છે. સંસારી જીવાત્મામાં અધિકાંશ એવા છે, જેમને આત્મ-અનાત્મને વિવેક છે જ નહિ. અને તેઓ અજ્ઞાનને કારણે શરીરને જ આત્મા માનીને વ્યવહાર કરે છે. આ વ્યવહાર ચાર્વાક દર્શનને આધારે છે એમ જ કહેવું જોઈએ. વ્યવહારનયનું મંતવ્ય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy