SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈનધર્મચિંતન (૨) અનેકાંતવાદનું મૂળ અહિંસા આટલી અનેકાંતવાદની સામાન્ય ચર્ચા પછી જૈન દર્શન અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ કેમ ઊભું થયું એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરને જીવનનો મંત્ર એક જ હતો અને તે છે અહિંસા. ભગવાન મહાવીરે જગતને અણુઅણુમાં વોનો વાસ છે. તેમનું સંવેદનશીલ સમભાવી હૃદય અનુભવવા લાગ્યું, કે જીવન મને જેમ પ્રિય છે, તેમ આ સૂક્રમમાં સૂક્ષ્મ જંતુઓને પણ પ્રિય છે; મને દુ:ખ ગમતું નથી તેમ એ સર્વને પણ દુ:ખ અપ્રિય છે. તો મારે જીવનવ્યવહાર એવી રીતે ગોઠવો જોઈએ, જેથી અન્ય જીવની હિંસા થાય નહિ. આવા તીવ્ર સંવેદનમાંથી મહાવીરે અહિંસક જીવનવ્યવહાર અપનાવ્યો અને લેકજીવનમાં સંયમનો ઉપદેશ દીધે. વિચારસંપત્તિનું મૂલ્ય અહિંસક જીવનવ્યવહારમાંથી જ બીજાના વિચારને ઠેસ ન પહોંચાડવાની વૃત્તિનો જન્મ થાય છે, કારણ કે એ અનુભવની વાત છે કે, સૌને મન પિતાની બાહ્ય સંપત્તિની જેમ વિચારસંપત્તિનું પણ બહુમૂલ્ય હોય છે. એ પણ અનુભવાય છે કે માણસની બાહ્ય સંપત્તિ ભલે ફના થતી હોય, પણ પિતે નક્કી કરેલા વિચાર કે મંતવ્યને છોડવા તે ઝટ તૈયાર થતું નથી. આમ પોતાના મત, મંતવ્ય કે વિચાર પ્રત્યે વ્યક્તિને એક પ્રકારની નિષ્ઠા અને મમતા હોય છે. એની એ નિષ્ઠાને કે મમતાને જ્યારે આપણે વગર વિચાર્યું ઝટ જૂઠી કહી દઈએ છીએ ત્યારે તે આંચકે અનુભવે છે, તેને તીવ્ર દુઃખ થાય છે અને તેની પ્રતીકાર કરવા તે તયાર થઈ જાય છે; અને પિતાનાં સાચાં-ખોટાં મંતવ્યોને વધારે બળપૂર્વક વળગી રહેવા તૈયાર થાય છે. સામી વ્યક્તિ પણ પિતાનાં મંતવ્યોને તે જ પ્રમાણે વળગી રહેવા તૈયાર હોય છે. આથી વાદ-વિવાદની, વૈર–પ્રતિવેરની પરંપરા જ વધે છે, અને આ હિંસા જ છે. આ વૈચારિક હિંસાના નિવારણરૂપે જ અનેકાંતવાદનો વિકાસ કરવાનું ભગવાન મહાવીરે ઉચિત માન્યું અને તેમણે પિતાના દર્શનને અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ વિકસાવ્યું. જીવની હિંસા જે વિજય હોય તો જીવના કોઈ પણ મંતવ્યને ઝટ દઈ બેટું કહી દઈ તેને દુ:ખ પહોંચાડવું, એ પણ હિંસા જ છે અને તેથી તેમ કરવું પણ વર્જ્ય ગણવું જોઈએ. આથી કંઈ મંતવ્યને જે ખોટું ન કહેવું હોય તે તેમાંથી સત્ય શોધવાની પ્રવૃત્તિ કરવી જ જોઈએ. જ્યાં સુધી વિરોધીના મંતવ્યને અસત્ય માનતા હોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy