SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ અને ભગાવન મહાવીર, જીવનકથાના ત્રણ સ્તરી ૧૨૯ એમને ચાલી જવાનું હતું. એટલે કે ભગવાન મહાવીર પ્રાચીન જૈનધર્મના અનુયાયી બની સાધના કરે છે. પાર્શ્વનાથના સંધમાં જે સાધનામાર્ગ પ્રચલિત હતા અને જે ་નસરણી વિદ્યમાન હતી તેમાં ગણનાપાત્ર નવું કશું કરવાની તેમની અપેક્ષા હતી નહી; માત્ર જે વસ્તુ સાંભળેલી હતી તેને સાધના દ્વારા સાક્ષાત્કાર કરવાના હતા. આથી તેએ અનેક વાર કહે છે કે આ હું જે કહું છું, ભગવાન પાર્શ્વ પણ તે બાબતમાં એમ જ કહ્યું છે. અર્થાત્ હું કાંઈ નવુ નથી કહેતે, અમારી માગ એક જ છે. આચારના થાડા ભેદ હતા તે બાબતમાં પણ ખુલાસે થઈ ગયા કે ઉદ્દેશ એક જ છે. પછી બાહ્ય ચિહ્નમાં કદાચ થાડા ભેદ પડે તેથી કાંઈ વિશેષતા નથી. પાર્શ્વ સંધની શિથિલતા દૂર કરી મહાવીરેતેને નવું તેજ આપ્યું અને નવેસરથી સંધની રચના કરી તેમાં પાના સંધને ભેળવી દીધા. આ કારણે તેઓ તીર્થંકર થયા અને પછીના સંધ તેમને નામે ઓળખાયા. ; ભગવાન મહાવીર શ્રદ્ધાપ્રધાન છતાં તેમણે દીક્ષિત થઈ કાઈને પોતાના ગુરુ કર્યાં નથી. જે કાંઈ સાંભળ્યું હશે અને જે વિષે શ્રદ્ધા બેઠી હશે એ માર્ગે સ્વયં ચર્યાં અને વીતરાગ થયા. પણ યુદ્ધ વિષે એમ નથી બન્યું. તેમણે પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપ્યું અને ગુરુ કર્યાં. પણ સ્વભાવમાં તર્કનું પ્રાધાન્ય હાઈ એકેક ગુરુ કરી છેડતા ગયા અને છેવટે પોતે પોતાના માર્ગ કાઢયો. એ નવે છે, અપૂર્વ છે, એવા એકરાર એમણે પોતે કર્યો જ છે. પણ સાથે જ તેમણે શ્રાંતાઓને પોતાનું કથન અધશ્રદ્ધાથી માની લેવા પ્રેર્યાં નથી; પણ પેાતાના તર્કની કસોટીથી કસી જોઈને પછી જ અનુસરવાની ભલામણ કરી છે. આમ છતાં પછીના આચાžએ, બધા જ મુદ્દો આ જ માગનું પ્રતિપાદન કરે છે અને આ ગૌતમ બુદ્ધ પચીસમા મુદ્ર છે એમ, સંપ્રદાય સ્થિર થયે, કરાવી દીધું છે. શ્રદ્ધા અને તર્ક પ્રધાન બન્ને મહાપુરુષાની છાપ પછીના જૈન બૌદ્ધ બન્ને ધર્મીના ઇતિહાસ ઉપર પણ પડી છે. શ્રદ્ધાપ્રધાન જૈન ધમે દાર્શનિક નવાં પ્રસ્થાન કર્યાં નહી", જ્યારે ત`પ્રધાન બૌદ્ધધર્મે દાનિક અનેક નવાં પ્રસ્થાને કર્યાં અને તે તે કાળે અનેક ભારતીય દર્શનને પડકાર ફેંકવા. અને તે કારણે ભારતીય દર્શીનેામાં નવું ચૈતન્ય લાવવામાં નિમિત્ત પણ તે ધર્મી બન્યા. તેથી ઊલટુ, જૈનધર્માંના અનુયાયીઓએ પોતાનું મૌલિક મન્તવ્ય સાચવીને પણ તે તે કાળના નવીન વિચારાને જૈનધમમાં સમન્વિત કરવાના પ્રયત્ન કર્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy