SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જૈનધર્મચિંતન અનુભવ થયો. કાયફલેશની એક મર્યાદા છે, એટલે કે તે માત્ર આંતર તપસ્યાના સાધનરૂપ છે; તેને બદલે મુક્તિના એકમાત્ર સાધનરૂપે કાયફલેશને માનીને બુદ્ધ તેનું આચરણ કર્યું. આથી તેમને તેમાં નિષ્ફળતા મળે તે સ્વાભાવિક જ છે. પણ જે ભગવાન મહાવીરની જેમ બુદ્ધ પણ કાયફલેશને મુક્તિના સાક્ષાત્ કારણરૂપે નહીં પણ આંતર તપસ્યાના-ધ્યાનરૂપ તપસ્યાના-સાધનરૂપે માન્યું હોત તે જે પ્રકારની નિરાશા તેમણે અનુભવી તે પ્રકારની અનુભવવી ન પડત. આમ બુદ્ધ તપસ્યાને માર્ગ એ મુક્તિ માગ નથી એમ જે કહ્યું તે પણ એક રીતે તો સાચું જ છે, કારણ, તેમની તપસ્યામાં માત્ર કાયફલેશને સ્થાન હતું. પણ મહાવીરનો અનુભવ આથી જુદો જ હતો આથી તેઓ કાયાકલેશને પણ એક ગૌણ સાધન તરીકે સ્વીકારી શક્યા. પરિણામે ભગવાન મહાવીરે પોતાના ઉપદેશમાં કાયાકલેશને પણ સારું એવું મહત્ત્વ આપ્યું છે, જ્યારે બુદ્ધ કાયકલેશની નિદા કરી છે. આ બાબતમાં બુદ્ધના મધ્યમ માગને કારણે સંઘમાં શિથિલતાએ બહુ જલદી પ્રવેશ કર્યો. અને એક સમય એવો આવ્યો, જ્યારે બૌધર્મના ભારતમાંથી વિસર્જનનાં અનેક કારણોમાંનું એ પણ એક કારણ બન્યું. ભગવાન મહાવીરને સંધ શિથિલ ન જ થયો એમ તો ન કહેવાય, પણ તેને ક્રમ મંદ રહ્યો. વળી, સમગ્રભાવે સંઘનું વલણ શિથિલતા તરફ નહીં પણ ઉત્કટ બાહ્ય આચાર તરફ રહ્યું. આથી વારંવાર કિયોદ્ધાર થતો રહ્યો અને, ભલે નાના ઝરણું રૂપે પણ, અવિચ્છિન્ન પ્રવાહરૂપે તે ધર્મ ભારતમાં ટકી રહ્યો. જ્યારે બૌદ્ધ ધર્મ ભારત બહાર તેના નવા રૂપે ફેલાયે, જેમાં ભારતીય બૌદ્ધધર્મની છાપ ઓછી પણ તે તે દેશની ધર્મ-સંસ્કૃતિની છાપ વધારે. આ પ્રકારનો બૌદ્ધધર્મ જીવિત છતાં તેના મૂળ ઉદ્દેશથી વિમુખ છે. બનેની વિશેષતા (૧) સ્વભાવગત ભગવાન મહાવીર અને બુદની સ્વભાવગત વિશેષતા એ જણાય છે કે ભગવાન મહાવીરમાં શ્રદ્ધાપ્રધાન વલણ વધારે છે, જ્યારે બુદ્ધમાં તર્ક પ્રધાન. આનું મુખ્ય કારણ તો એ જણાય છે કે ભગવાન મહાવીરની પરંપરા જની હતી અને તેમને માર્ગ નિશ્ચિત રીતે અંકણેલે હવે તે માર્ગની સીધી લીધર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy