SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનના ત્રણ સ્તરો ૧ર૭ ઉપરાંત, શરીરે નગ્ન રહી શીતષ્ણતાના જે કંઈ અનુભવ થાય તે સહવા, દેશ–મશકના ઉપદ્રવોથી ગભરાવું નહિ, સમભાવે સહવું –મહાવીરની બાહ્ય તપસ્યા કહો કે કાયાકલેશ કહે તે આ પ્રકારનાં હતાં. સારાંશ કે જે કાંઈ કાયાકલેશ હતો તે ગ–સમાધિમાં ઉપકારક રૂપે હતો, સમાધિના અંગ તરીકે હતો. બંને તપસ્યા-આંતર અને બાહ્ય-સાથે જ ચાલતી હતી. ભાર આંતર ઉપર હતો અને એથી તેમણે વીતરાગતા અને અર્વજ્ઞતા પ્રાપ્ત કરી. બુદ્ધના જીવનમાં તે ધ્યાનનું મહત્ત્વ દીક્ષા પહેલાં પણ જણાવે છે, આથી તે તેમના પિતાને, એ માર્ગથી એમને વિમુખ કરવા માટે, રાગ-રંગની વ્યવસ્થા કરવી પડી અને અનેક સ્ત્રીઓને સંગ ગોઠવવો પડ્યો. પણ એ જીવ તે ધ્યાનમાગી અને વિરાગમાગી હતી. આથી એણે સંન્યાસ લીધે. સંન્યાસી થઈને બુદ્ધ પ્રથમ કેવળ ધ્યાનમાર્ગનું જ અવલંબન લે છે. એક ગુરુ પાસેથી એ વિદ્યાની જેટલી ઉન્નતિ થઈ શકતી હતી તેટલી સાધીને બીજા ગુરુ પાસે જાય છે. ત્યાં પણ ધ્યાનમાગે જ આગળ વધે છે. આમાં શારીરિક કલેશ એટલે કે ઉપવાસ આદિ વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. એટલે વખત ધ્યાન કરવું હોય તેટલો વખત શરીર થિર રાખવાનું કષ્ટ તે સ્વીકારવું અનિવાર્ય હોય જ, પણ એમાં આહાર છોડવાની વાત નથી. જ્યારે આ બંને ગુરુના ધ્યાનમાગન. અનુસરણ પછી પણ બુદ્ધને એમ લાગ્યું કે હજી જે જાણવાનું છે, જે બાધિ પ્રાપ્ત કરવાની છે, તે તે પ્રાપ્ત થતી નથી, ત્યારે એ ધ્યાનમાર્ગ છોડીને બીજા ગુરુની તલાશ કરે છે અને ક્રમે કરી નિરાહારી બને છે, અને તેમની જીવનકથામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. તેમણે અનશનના – ઉપવાસના માર્ગમાં એટલી બધી ઉત્કટ તપસ્યા કરી કે તેમને જેનાર પારખી શક્તા નહીં, કે આ કઈ જીવિત વ્યક્તિ છે. તેઓ શબ કે હાડપિંજર જેવા થઈ ગયા. તેમની આ તપસ્યા ધ્યાનવિહીન તપસ્યા હતી, એ પણ ફલિત થાય છે. એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને ઉપદેષ્ટા ઓએ કહ્યું કે આ કાયલેશને માગ એ જ ખરો મુક્તિનો માર્ગ છે. એટલે તેઓ ધ્યાનમાર્ગ છોડીને આ કાયકલેશને માર્ગ સંચર્યા. પણ આથી તે કેવળ શરીર રકાયું અને આત્મામાં બોધિનું જાગરણ થયું નહીં ! આથી તે હારીને તેમણે આ કાયકલેશનો માર્ગ છેડ્યો અને ફરી પાછા ધ્યાનમાર્ગ અપનાવ્યું, અને સ્પષ્ટ કહ્યું કે આ કાયલેશને માર્ગ મુક્તિનો માર્ગ નથી, આટલા વિવરણથી સ્પષ્ટ છે કે ભગવાન બુદ્ધ આંતર, બાહ્ય, આતર– એમ કર્મ કરી તપસ્યા કરી તેના પરિણામરૂપે તેમને કાચલેશ વિરે કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy