SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જીવનકથાના ત્રણ સ્તરે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરનાં જીવનચરિતાને વિચાર કરીએ તે જણાશે કે તે અનેક સ્તરોમાંથી પસાર થયાં છે. જેનોમાં સૂત્રાગમ અને બૌદ્ધોમાં પિટક–આ પ્રાચીન શાસ્ત્રોમાં બંનેની કથાને ઝોક એક છે, તે જૈન ટીકાગ્રંથ અને ચરિતગ્રંથ અને બૌદ્ધોમાં અકથા અને મહાયાની બુદ્ધચરિતમાં કથાને વળાંક જરા જુદો જ છે. અહીં એ વિષે જરા વિસ્તારથી વિચાર કરીએ. પ્રથમ સ્તર જૈન આગમ સૂત્ર અને પિટકમાં બંને મહાપુરુષોનું જે જીવન ફુટ થાય છે તે એ છે કે એક માનવે કરેલો આધ્યાત્મિક વિકાસ, યાતનાઓમાંથી પસાર થયા પછી, તેની ચરમ સીમાએ કેવી રીતે પહોંચે છે, તેમાં માનવમાંથી અતિમાનવવું સર્જન કેવી રીતે થયું તે સામાન્ય માનવી પણ સમજી શકે છે, અને સહેજે પ્રેરણું પણ મેળવી શકે છે. પરંતુ સુબદ્ધ સંપ્રદાયના નાયક તરીકે સ્વીકારાઈ ગયા પછી બંને મહાપુરુષનાં જીવનચરિતની કથા તે પછીના કાળમાં જરા બદલાઈ જાય છે. મૂળ સૂત્ર અને પિટકમાં જે વર્ણન છે તે સમકાલીન ગણી શકાય તેવું છે અને એમ સહેજે કહી શકાય કે તેમાં કવિકલ્પનાને બહુ જ ઓછો અવકાશ મળ્યો છે. પણ પછીના ચરિતગ્રન્થનો કાળ જેમ બદલાઈ ગયે, તેમ લેખકની કલ્પના પણ બદલાઈ ગઈ અને ચરિતગ્રન્થમાં સાંપ્રદાયિક પુટને વધારે અવકાશ મળે. પ્રથમ અને પછીના સ્તરોમાં જેવો મૌલિક ભેદ બુદ્ધચરિતમાં જણાય છે, તેવો ભેદ મહાવીરચરિતમાં નથી. તેનું કારણ એ છે કે તીર્થકર વિષેની મૌલિક માન્યતામાં જૈન સંપ્રદાયમાં નજીવો ભેદ પડ્યો છે; જ્યારે બુદ્ધ વિષેની માન્યતામાં તે મૌલિક પરિવર્તન થઈ ગયું છે. આથી પિટકગત બુદ્ધ અને મહાયાની બુદ્ધ એક જ છતાં કથાવર્ણનની દૃષ્ટિમાં પણ મૌલિક ભેદ પડી ગયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy