SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જેનધર્મચિંતન જૈન-બૌદ્ધની જૂની અને મૌલિક માન્યતા એવી છે કે સંસારચક્રમાં પડેલ માનવી તેના કોઈ પૂર્વજન્મમાં સક પ્રાણીને હિતકારી થવાની ભાવના ભાવે છે, તે પ્રમાણે આચરણ કરે છે અને પિતાના આત્માને ઉન્નત કરતો કરતો અંતિમ માનવભવમાં તીર્થકર કે બુદ્ધ બને છે. સામાન્ય માનવી અને એમનામાં જે કાંઈ ભેદ હોય છે તે આત્માના સંસ્કારનું હોય છે અને એથી તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે નેતા બને છે. આવા સ્વાભાવિક ભેદ વિના બીજે કશે ભેદ બીજા સામાન્ય માનવીમાં અને તીર્થકર કે બુદ્ધમાં હેત નથી. સારાંશ એ છે કે બંને પ્રારંભથી એટલે કે અનાદિ કાળથી સંપૂર્ણ શુદ્ધ-બુદ્ધ હોતા નથી, પણ ક્રમે કરી શુદ્ધ થાય છે અને તીર્થકર અથવા બુદ્ધિપદને પામે છે. પ્રાચીન ચરિતો, જેમાં ભગવાન મહાવીર અને બુદ્ધનાં ચરિતેનું વર્ણન છે, તે આ ભૂમિકા સ્વીકારીને થયેલું છે. એથી બંને મહાપુરુષોને આત્માને ઉન્નત બનાવવા માટે સર્વસામાન્ય પ્રયાસ કરે જરૂરી થઈ પડે છે. આથી બંનેનાં જીવનમાં ગૃહત્યાગ, સંન્યાસ અને તપશ્ચર્યાનું વર્ણન આવે છે. ભગવાન મહાવીરને તપશ્ચર્યાને માર્ગમાં સન્માર્ગ દેખાય છે, જ્યારે બુદ્ધને તે માર્ગ, અમુક અનુભવ પછી, છોડવા જેવા લાગે છે. પણ તે તે તે બંનેની પ્રકૃતિના વૈવિધ્યને કારણે બન્યું હોવું જોઈએ. પણ સામાન્ય માનવી પિતાની ધારણથી કે બીજા પાસેથી જાણીને જેમ માર્ગાવલંબી બને છે અને સારાસારને વિવેક ગ્રહણ કરી આગળ વધે છે તે જ રીતે એ બંને મહાપુરુષ આગળ વધ્યા છે તેવી છાપ પ્રાચીન ચરિત્રો આપે છે. બીજો સ્તર પણ જ્યારે એ બંને મહાપુરુષોની જીવનકથાના બીજા સ્તરમાં–એટલે કે સમકાલીન નહિ પણ પછીના કાળમાં સંપ્રદાય સુબદ્ધ થયા પછી–કથાનું આલેખન થાય છે, ત્યારે એ બંનેની કથામાં કેટલાંક અલૌકિક તો દાખલ થાય છે અને પૂર્વજન્મની કથાઓનો વિસ્તાર વધી જાય છે. ભગવાન મહાવીરની જીવનકથા ભગવાન ઋષભથી પણ પહેલાંના કાળના મહાવીરના ભવની વાતથી શરૂ થાય છે અને તીર્થકર થવાની યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત થઈ તે વર્ણન એ કથામાં આવે છે. ત્રષભદેવના પૌત્ર તરીકે એટલે કે તીર્થકરના પૌત્ર; વળી ભાવમાં ચક્રવતી અને તીર્થંકર થવાની આગાહી સાંભળી મનમાં ગર્વ–આવી આવી અનેક જીવનઘટનાઓ ચરિતમાં ગૂંથી લઈને ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy