SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ૧૧૭ હું વધારે કમાઈશ તા વધારે દાન કરીશ એટલા માટે કાઈ ખરા કે ખાટા ઉપાયનુ અવલઅન લઈ ધનદોલત એકઠી કરવી એમાં કાંઈ ખાટુ નથી —આ પ્રકારની દલીલ સાચી નથી, પરંતુ પેાતાના આત્માને પતનેાન્મુખ બનાવનારી જ છે. ભગવાને દાનના મહિમા ઘણા બતાવ્યા છે, પરંતુ એને અર્થ એ નથી કે દાન કરતાં ચડિયાતી બીજી કોઈ ચીજ સંસારમાં છે જ નહિ. ભગવાને તે સ્પષ્ટ કહ્યું છે કે, જે પ્રતિમાસ લાખે! ગાયાનુ દાન કરે છે તેના કરતાં કાંઈ પણ નહિ આપનાર અકિંચન પુરુષને સંયમ અધિક શ્રેયસ્કર છે; એટલા માટે ધનદોલતને, પોતાની મર્યાદામાં રહીને, ન્યાયસંપન્ન માગે મેળવવાં અને અંતે સ`સ્વને ત્યાગ કરી અકિ ંચન બની જવું એ જ ભગવાનના માર્ગ છે, શૂધમ ભગવાને શુદ્રોને લક્ષીને એવે ઉપદેશ આપ્યા છે કે, તમારા જન્મ ભલે શૂદ્ર કુળમાં થયા, પરંતુ તમે પણ સારાં કર્મો કરે તેા આ જ જન્મમાં દ્વિજબધાનાં પૂયબની શકે છે. નીચ કહેવાતા કૂળમાં જન્મ ધારણ કરવા એ કાંઈ સયમપાલનમાં આધક નથી. ક્ષત્રિયધમ પારકા માલના પોતાને કરી પારસ્પરિક ઇર્ષ્યા, દ્વેષ અને શત્રુતા વધારી એકબીજા સાથે કલેશ-કંકાસ કરવા એ પ્રાય: ક્ષત્રિય લેાકેાનુ કાય હાય, એમ વ્યવહારમાં જોવાય છે. ભગવાન પણ ક્ષત્રિય હતા. એટલા માટે તેમણે જે ક્ષત્રિયધર્મ --સંસારમાં સ્થાયી શાંતિની પ્રતિષ્ઠા કરનાર ક્ષાત્રધર્મ-શીખડાવ્યેા છે તને! અત્રે નિર્દેશ કરવેા આવશ્યક છે. ભગવાને ક્ષાત્રધર્મ સમજાવતાં કહ્યું છે કે, યુદ્ધમાં લાખા જીવાની હત્યા કરી જે કાઈ પાતાને વિજયી સમજતા હોય તે તે અધારામાં છે. મનુષ્ય ભલે બહારના બધા શત્રુઓને જીતી લે, પરંતુ પેાતાની જાતને જીતવી એ જ બહુ મુશ્કેલીનું કામ છે, જ્યાં સુધી પોતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત થતા નથી, ત્યાં સુધી બધાં યુદ્ધોની જડ કાયમ રહે છે; તેનુ યુ કેાઈ દિવસ બંધ થઈ શકતું નથી; વૈર પ્રતિવેરની પરપરા ચાલુ જ રડે છે. આત્માને જીતવાનેા શે અર્થ છે?—પોતાની પાંચે ઇંદ્રિયાને વશ કરી જિતેન્દ્રિય બનવું, ક્રોધને ક્ષમા દ્વારા પરાજિત કરવા, માનને નમ્રતા દ્વારા પરાજિત કરવું, માયાને સરળતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy