SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ૧૧૩ ઓએ પ્રવજયા અંગીકાર કરી હતી અને અભયકુમાર, મેઘકુમાર આદિ અનેક રાજકુમારોએ પણ ઘરબારને ત્યાગ કરી વ્રતને અંગીકાર કર્યા હતાં. સ્કંધક પ્રમુખ અનેક તાપસેએ તપશ્ચર્યાનું ખરું રહસ્ય સમજી ભગવાનનું શિષ્યપદ સ્વીકાર્યું હતું. અનેક સ્ત્રીઓ પણ, સંસારની અસારતા સમજી, તેમના શ્રમણીસંધમાં સંમિલિત થઈ હતી. આ શ્રમણુસંધમાં અનેક રાજકુમારીઓ પણ હતી. તેમના ગૃહસ્થ અનુયાયીઓમાં મગધપતિ શ્રેણિક અને કેણિક, વૈશાલિપતિ ચેટક, અવનિતપતિ ચંડપ્રદ્યોત આદિ મુખ્ય હતા. આનંદ આદિ વૈશ્ય શ્રમણોપાસક સિવાય શકઠાલપુત્ર જેવા કુંભકાર પણ ઉપાસકસંઘમાં ભળ્યા હતા. અજુનમાળી જેવા દુષ્ટમાં દુષ્ટ લૂંટારા પણ તેમની પાસે વૈરનો ત્યાગ કરી શાંતિ રસનું પાન કરી, ક્ષમા ધારણ કરી દીક્ષિત થયા હતા. શો તેમ જ અતિશદ્રોને પણ તેમના સંધમાં માનભર્યું સ્થાન હતું. તેમનો સંઘ રાઢ દેશ, મગધ, વિદેહ, કાશી, કેશલ, રિસેન, વસ, અવનતી આદિ દેશોમાં ફેલાયેલા હતા. તેમના વિહારના ક્ષેત્ર વિસ્તાર મુખ્યતઃ મગધ, વિદેહ, કાશી, કોશલ, રાત દેશ અને વત્સ દેશ સુધી વિસ્તર્યો હતો. તીર્થકર થયા બાદ ૩૯ વર્ષ પર્યત સતત જનપદવિહાર કરી, ભગવાન મહાવીરે આદિમાં ક૯યાણ અને અંતમાં કલ્યાણ એવા મંગલમય અહિંસક ધ ને ઉપદેશ આપી ઈહજીવનલીલા સમાપ્ત કરી ઉર વર્ષની ઉંમરે મોક્ષલાભ કર્યો. લોકોએ દીપક પ્રગટાવી તેમને વિદાય આપી; ત્યારથી દીપાવલી પર્વ ઊજવાય છેએવી પરંપરા છે. ચરિત્રની વિશેષતા તે વખતે ધાર્મિક સમજેમાં નાનામોટા અનેક ધર્મ પ્રવર્તક વિચરતા હતા. પણ તેમાં ભગવાન મહાવીર પ્રભાવ અભૂતપૂર્વ હતો. એમના શ્રમણસંઘોએ બ્રાહ્મણ ધર્મમાંથી હિંસાનું નામનિશાન ભૂંસી નાખવા માટે અતિ ઉમ્ર પ્રયત્ન કર્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે ધર્મના નામે થતી હિંસાનું તો નિર્મુલન જ થઈ ગયું. જે યજ્ઞની પૂર્ણાહુતિ પશુવધ કર્યા વિના થઈ શકતી ન હતી, એવા ય તો ભારતવર્ષમાંથી પ્રાય: અદશ્ય થઈ ગયા છે. પુષ્યમિત્ર જેવા કફર હિંદુ રાજાઓએ તે નામશેષ યજ્ઞોને પુનઃજીવિત કરવાનો પ્રયત્ન કરી જો, પણ તેને પણ શ્રમણોના અપ્રહિત પ્રભાવ તેમ જ તેમના ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy