SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જૈનધર્મચિંતન અને જેઓ તેમાં તન્મય થઈ ગયા છે એવા સમ્યગ્દષ્ટિ પુરુષો માટે તે સમ્યફ શ્રત જ છે. જેઓએ ધર્મનું ખરું સ્વરૂપ જાણ્યું કે ઓળખ્યું નથી તેવા મેઘ (ભવાભિનંદી) પુરુષો માટે એ વેદ-વેદાંગે મિથ્થારૂપે જ પરિણમે છે. સમભાવને ઉપદેશ જે બ્રાહ્મણોને પોતાની જાતિનું, પિતાની સંસ્કૃત ભાષાનું તથા પિતાની વિદ્વત્તાનું જે અભિમાન હતું, તેમનું તે અભિમાન ભગવાનની પ્રતિભા તેમ જ પ્રજ્ઞા આગળ ઓગળી ગયું. તેઓ ભગવાનના સમભાવના સંદેશનો લેકભાષા પ્રાકૃતમાં પ્રચાર કરવા લાગ્યા. જે શોને તેઓ પહેલાં ધાર્મિક અધિકારોથી વંચિત સમજતા હતા તેમને શિક્ષા-દીક્ષા આપી, શ્રમણસંઘમાં સ્થાન આપી, ગુરુપદના પણ અધિકારી બનાવ્યા; એટલું જ નહિ પણ, હરિકેશી જેવા ચાંડાલ મૂરિને એટલી ઉન્નત ભૂમિકા ઉપર લઈ જવામાં તેઓ સહાયક થયા કે જેથી તે ચાંડાલ મુનિ પણ બ્રાહ્મણોના ગુરુ બની શક્યા, એક સમયની વાત છે કે, તે ચાંડાલ મુનિ યજ્ઞવાટિકામાં ભિક્ષાથે જઈ ચડ્યા. તિરસ્કાર, અપમાન, ધુત્કાર તથા દંડ-પ્રહારને સમભાવપૂર્વક સહન કરવા છતાં જ્યારે તેમણે એ યાજ્ઞિક બ્રાહ્મણોને અહિંસક યજ્ઞનું રહસ્ય સમજાવ્યું ત્યારે તે બ્રાહ્મણો પશ્ચાત્તાપાભિમુખ થઈ ચાંડાલ ઋષિની ક્ષમા માગવા લાગ્યા અને તપમાર્ગની પ્રશંસા અને જાતિવાદનો અવર્ણવાદ કરીને તેમના અનુયાયી બની ગયા ! ભગવાન મહાવીરે, તીર્થકર બન્યા છતાં, પોતાના અનિયત વાસને નિયમ ચાલુ રાખે. તેઓ તથા તેમના શિષ્ય ભારતવર્ષની ચારે બાજુ પાદવિહાર કરી અહિંસાના સંદેશને પ્રચાર કરવા લાગ્યા. ભગવાન મહાવીરનો આદેશ હતો કે લોકોને શાંતિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણ, શૌચ, જુતા, નિરભિમાનતા. અપરિગ્રહ તથા અહિંસા આદિને ઉપદેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ખ્યાલમાં રાખી આપવામાં આવે. આ જ કલ્યાણકારી ધર્મ છે. લોકોને સુખ અને શાંતિ, વિજ્ઞાન અને શક્તિ આવા જ ધર્મમાર્ગે ચાલવાથી મળી શકે છે. હિંસા અને ધર્મનો તે પારસ્પરિક વિરોધ છે–એનું સચોટ ભાન એમણે લોકોને કરાવ્યું : એ જ તેમના ઉપદેશનો સાર કહી શકાય. જન સંઘ ભગવાન મહાવીરના મંગળ ઘમનો ઉપદેશ સાંભળી વીરાંગક, વીરયશ સં-૨) વય, સે શિવ ઉદયન ૨ ને – આ સમકાલીન રાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy