SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ૧૧૧ સ્વીકાર ન કરતા. બાર વર્ષની કઠોર તપશ્ચર્યામાં, પરંપરાનુસાર, તેમણે કુલ ૩૫૦ દિનથી અધિક ભોજન જ કર્યું ન હતું. આ જિતેન્દ્રિય મહાપુરુષે માન-અપમાનને તે સમભાવપૂર્વક સહેવામાં જ પોતાનું હિત જોયું હતું. તેઓ એટલા બધા સંયમી અને મર્યાદાના જાણકાર હતા કે તેમને ઔષધના પ્રયોગની આવશ્યકતા જ પડી નહિ. અનાર્ય દેશમાં તેમણે વિહાર કર્યો ત્યારે ત્યાંના અજ્ઞાન લેકએ તેમના તરફ કૂતરાઓને દોડાવ્યાં. પરંતુ તે દીર્ઘતપસ્વી દુઃખોની જરા પણ પરવા ન કરતાં પોતાના ધ્યાનમાં જ અટલપણે મગ્ન રહ્યા. આ પ્રમાણે પિતાના કષાયોને જીતવા માટે, પોતાના દેષને નિષ્ફળ કરવા માટે સાડાબાર વર્ષ પર્યત દીર્ધ તપશ્ચર્યાનું અનુષ્ઠાન કરી દીર્ઘ તપસ્વી ભગવાન મહાવીર ૪ર વર્ષની ઉંમરે વીતરાગતાને પામી જિન બન્યા અને તત્વને સાક્ષાત્કાર કરી સંબુદ્ધ કવલી થયા; તેમ જ લોકોને હિતાપદેશ આપી તીર્થકર બન્યા. ઉપદેશ તીર્થકર બન્યા બાદ સર્વપ્રથમ અગિયાર બ્રાહ્મણ પંડિતે તેમના શિષ્ય અને ગણધર થયા. તે પંડિત વેદના લૌકિક અથ તથા તેના સ્વાધ્યાયમાં નિપુણ હતા; પરંતુ ત સંબંધમાં તેમને દરેકને જુદી જુદી શંકાઓ હતી. ભગવાન મહાવીરે તેઓને જ્યારે એને નવા આધ્યાત્મિક અર્થ બતાવી તેમની શંકાઓના ખુલાસા કર્યા ત્યારે પારમાર્થિક ધમનું ખરું સ્વરૂપ પણ તેમને જાણવામાં આવી ગયું, ખરે યજ્ઞ કયો છે ? યજ્ઞકુંડ કયો છે ? સમિધ કોને કહેવાય છે ? આહુતિ કોને આપવામાં આવે છે ? સ્નાન કેવી રીતે કરવું જોઈએ?—વગેરે બાબતોનું અભૂતપૂર્વ આધ્યાત્મિક સ્પષ્ટીકરણ જ્યારે ભગવાને કહ્યું, વેદમાં સ્પષ્ટ દેખાતા વિરોધો તથા તેમાં પેદા થતી શંકાઓનું ભગવાને જયારે નિરસન કર્યું, ત્યારે વેદનિષ્ણાત આ બ્રાહ્મણ પંડિતોએ ભગવાનમાં એક નવી જ પ્રતિભા અને પ્રજ્ઞાનું દર્શન કર્યું. તેઓ એમના શિષ્ય બની ગયા. જૈન શાસ્ત્રો કે જૈનધર્મમાં વેદવેદાંગનું પ્રામાણિક પુસ્તકરૂપે કેઈ સ્થાન નથી, ધાર્મિક પુરુષોની આધ્યાત્મિક ભૂખને સંતોષવા માટે વેદવેદાંગ સાધનભૂત નથી. પરંતુ ભગવાન મહાવીરના ધર્મોપદેશેનું જે સંકલન, “ગણધર” નામે ઓળખતાં એ બ્રાહ્મણ પંડિત શિષ્યોએ કર્યું તે ઉપદેશ-સંકલન જ સાધનાય છે. આ સંકલન નાગીન મિથી પ્રસિદ્ધ છે. વેદ-વેદાંગને જૈનધર્મમાં એકાંત મિશ્યા બતાવવામાં આવ્યાં નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ પુર" અર્થાત્ જૈનધર્મના રહસ્યનું જેમણે રપાન કરેલ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy