________________
૧૧૦
જૈનધર્મચિંતન
મનુષ્ય પોતાની મૈત્રીભાવનાને વિસ્તાર કરવો જ જોઈએ; અને પોતાના શારીરિક વ્યવહારને, પિતાની આવશ્યક્તાઓને એટલાં બધાં એાં કરી દેવાં જોઈએ કે જેથી બીજાઓને જરા પણ કષ્ટ ન થાય. જે અનિવાર્ય હોય તેટલાં જ વ્યવહાર કે પ્રવૃત્તિ કરવાં જોઈએ. પોતાની પ્રવૃત્તિને–અનિવાર્ય પ્રકૃત્તિને–પણ અપ્રમાદપૂર્વક કરવી જોઈએ. આનું નામ જ સંયમ છે અને તે જ નિવૃત્તિમાર્ગ છે.
ભગવાનની સાધના ભગવાન મહાવીરે અપ્રમત્ત ભાવે આ સંયમમાર્ગનું અવલંબન લીધું. આત્માને શુદ્ધ કરવા માટે, વિજ્ઞાન, સુખ અને શક્તિથી પરિપૂર્ણ કરવા માટે તેમ જ દેશાવરણોને દૂર કરવા માટે તેમણે જે ઘર પરાક્રમ કર્યું છે તેનું વર્ણન આચારાંગના અતિ પ્રાચીન અંશ પ્રથમ શ્રુતસ્કંધમાં કરવામાં આવેલ છે. તેને વાંચતાં જ એમની દીર્ધતપસ્વી તરીકેની સાધનાનો સચોટ ખ્યાલ આવે છે. એ ચરિત્રવેણુનમાં એવી કઈ દિવ્ય વાતનો ઉલ્લેખ નથી, એ કોઈ ચમત્કાર ચિત્રિત નથી, જે અપ્રતીતિકર હોય અથવા અંશત: અસત્ય કે અરાંભવિત માલૂમ પડે. ત્યાં તેમનું શુદ્ધ માનવીચરિત્ર વણિત છે. અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ પ્રસ્થાન કરનાર એક અપરાજિત અપ્રમત્ત સંયમી-પુરુષનું ચરિત્ર ત્યાં વણિત છે. આ ચરિત્રની જૈનધર્મના આચરણના વિધિનિષેધાની સાથે તુલના કરવાથી એ સ્પષ્ટ જણાય છે કે, ભગવાન મહાવીરે પોતે જે પ્રકારની સંયમસાધના કરેલ છે તે જ સાધનાને માગે બીજાઓને લઈ જવાનો તેમણે ઉપદેશ અને પ્રયત્ન કરેલ છે.
ગૃહત્યાગ કર્યા બાદ તેમણે કઈ દિવસ વસ્ત્રને સ્વીકાર કર્યો નથી. એ કારણે કઠોર શીત, ગરમી, ડાંસ–મચ્છર અને નાના શુક જંતુજન્ય પરિતાપ કે પરિષહ આવી પડ્યા તે બધા સમભાવપૂર્વક તેમણે સહન કર્યા. તેમણે કઈ ઘરને પિતાનું ન બનાવ્યું. સ્મશાન અને અરણ્ય, ખંડેરો અને વૃક્ષ છાયા એ જ તેમનાં આશ્રયસ્થાન હતાં. નગ્ન હોવાને કારણે ચપળ બાળકે ભગવાનને પિતાના ખેલનું સાધન બનાવી તેમની ઉપર પથ્થર અને કાંકરાઓ ફેંકતા, છતાં એમની સંયમસાધનામાં વિક્ષેપ ન થયો. રાત્રે નિદ્રાનો ત્યાગ કરી તેઓ ધ્યાનસ્થ રહેતા અને નિદ્રાથી બચવા માટે થોડું ચંક્રમણ કરી લેતા. કોઈ કોઈ વાર પહેરેદાર તેમને ખૂબ હેરાન કરતા. ગરમ પાણું કે ભિક્ષાચર્યામાં જે કાંઈ મળતું તેનાથી કામ ચલાવી લેતા. પરંતુ કેઈ દિવસ પિતાના નિમિત્તે બનાવેલા અન્નપાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org