SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ૧૦૯ ભગવાન બુદ્ધ તપશ્ચર્યાને કાયફલેશ બતાવી આત્મશુદ્ધિમાં અનુપયોગી બતાવી છે. તેમણે પિતે લાંબા કાળ સુધી ઉત્કટ તપસ્યા કરી, પણ બધિલાભ પ્રાપ્ત કરવામાં સફળ ન થયા. આનું કારણ તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ થતી નથી કે તપશ્ચર્યા એક સદુપાય નથી એમ નથી; પરંતુ વાત એમ છે કે તપશ્ચર્યાની અમુક મર્યાદા હોય છે અને તે એ કે, જ્યાં સુધી આત્મિક શાંતિ જળવાઈ રહે, સમાધિમાં વિન-બાધા ન પડે, ત્યાં સુધી જ તપશ્ચર્યા શ્રેયસ્કર નીવડે છે. જે તપસ્યાઓ દ્વારા સમાધિમાં બાધા પડે તે અમર્યાદિત તપસ્યાઓ નિષ્ફળ થાય છે. ભગવાન બુદ્ધે પોતાની શક્તિનો ખ્યાલ રાખ્યા વિના એવી ઉત્કટ તપસ્યાઓ કરી કે જેથી તેમની સમાધિમાં જ ભંગ થઈ ગયો. એટલા માટે તેમને તપશ્ચર્યા નિષ્ફળ જણાય છે એમાં કેઈ આશ્ચર્યની વાત નથી. પણ, આથી વિરુદ્ધ, ભગવાન મહાવીરે તપશ્ચર્યા કરવાની સાથે હમેશાં પિતાની શરીરશક્તિને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો. પોતાની શક્તિ બહારની અમર્યાદિત તપસ્યાઓ તેમણે કરી નહિ. એ જ કારણ છે કે જે તપસ્યાને બુદ્દે નિષ્ફળ બનાવી તે જ તપશ્ચર્યાના બળે ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ છતાં ભગવાન બુદ્દે પણ પોતાના ઉપદેશમાં કેટલીક તપશ્ચર્યાઓનું વિધાન કર્યું જ છે. સંયમમાગ ? . ભગવાન મહાવીરની તપશ્ચર્યાની સફળતાનું રહસ્ય સંયમમાં રહેલું છે ઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારની પીડા ન આપવી, બધાં સો પ્રત્યે ત્રી રાખવી, પોતાના જીવનમાં જે કંઈ વિદનો–બાધાઓ ઊભી થાય તે બધીને કેઈ બીજાની સહાયતા લીધા વિના સમભાવપૂર્વક સહન કરવી” એ તેમની પ્રતિજ્ઞા હતી. આ કઠેર પ્રતિજ્ઞાને તેમણે એક વીર પુરુષની માફક પાળી બતાવી. એ કારણે તેઓ મહાવીર પદને પામ્યા. ' સંયમની સાધના કરવા માટે પોતાની પ્રવૃત્તિઓને સકુંચિત કરવી આવશ્યક છે. કારણ કે મનુષ્ય ઈચ્છે તો પણ તે એકલે બધા ના સુખ માટે પ્રયત્ન કરી શકતો નથી. પોતાની આસપાસના સમસ્ત જીને પણ તે બહુ જ મકેલીથી સુખી કરી શકે છે. તે પછી સંસારના બધા જીવોને સુખી કરવાની જવાબદારી તે એકલો કેવી રીતે લઈ શકે ? પરંતુ એનો અર્થ એ નથી કે મનુષ્ય તે માટે કાંઈ જ ન કરવું. જગતના જીવોનું સુખ અને કલ્યાણ કરવાની ભાવવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy