SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જિનધર્મચિંતન માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશના ક્ષત્રિય હતા. તેઓ ઠીક પ્રભાવશાળી વ્યકિત હોવા જોઈએ, કારણ કે તેમનાં પત્ની ત્રિશલાદેવી વૈશાલીના અધિપતિ ચેટકની બહેન થતાં હતાં. ચેટકની સાથેના આ સંબંધને કારણે તત્કાલીન મગધ, વત્સ, અવંતી આદિના રાજાઓની સાથે પણ તેમને સ્નેહસંબંધ બંધાયો હોય એ સ્વાભાવિક છે; કારણ કે ચેટકની પુત્રીઓને વિવાહ સંબંધ એ બધા રાજાઓની સાથે થયો હતો. ચેટકની એક પુત્રીના લગ્ન ભગવાન મહાવીરના મોટાભાઈ નંદિવર્ધન સાથે પણ થયાં હતાં. સંભવ છે કે આ સંબંધને કારણે પણ ભગવાન મહાવીરને પોતાના ધર્મપ્રચારના કાર્યમાં કેટલીક સગવડ અને સફળતા પ્રાપ્ત થઈ હોય. માતાપિતાએ ભગવાન મહાવીરનું મૂળ નામ વર્ધમાન રાખ્યું હતું; કારણ કે તેમના જન્મ સમયે તેમની સંપત્તિમાં વૃદ્ધિ થઈ હતી. પરંતુ આ જ સંપત્તિની નિઃસારતાથી પ્રેરિત થઈ તેમણે ત્યાગ અને તપશ્ચર્યામય જીવનને કઠિન માર્ગ સ્વીકાર કર્યો. તેમની ઘોર-અત્યુત્કટ સાધનાને કારણે તેઓ મહાવીર પદને પામ્યા અને એ જ નામે પ્રસિદ્ધ થયા. વર્ધમાન નામને લેકો ભૂલી ગયા. તેઓ ખરી શાંતિ તેમ જ સુખ વૈભવોના ભાગમાં નહિ પણ ત્યાગમાં જ સમજતા. આખરે ૩૦ વર્ષની યુવાવસ્થામાં જ તેઓ બધાયને પરિત્યાગ કરી ત્યાગી બની ગયા. ૩૦ વર્ષ સુધી તેમણે જે ગૃહવાસ સ્વીકાર્યો હતો તેનું મુખ્ય કારણ પણ પોતાનાં માતા-પિતા તેમ જ મોટાભાઈની ઈચ્છાને માન આપવા પૂરતું જ હતું. સંસારમાં રહેવા છતાં તેમનું મન સાંસારિક પદાર્થોમાં આસક્ત ન હતું. અંતિમ વર્ષમાં તો તેમણે પોતાની પાસે જે કાંઈ હતું તે બધું દીનહીન લેકેને આપી દીધું હતું અને પોતે અકિંચન બની ઘરબાર છોડી ચાલી નીકળ્યા હતા. તપશ્ચર્યાનું રહસ્ય ભગવાન પાર્શ્વનાથે તે વખતની તામસિક તપશ્ચર્યાઓને વિરોધ કરી આત્મશોધનને–અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહને-સરળ માર્ગ બતાવ્યો હતે. વૃક્ષ ઉપર લટકવું, પંચાગ્નિ વચ્ચે તપવું, લોઢાના કાંટા ઉપર સૂવું ઇત્યાદિ તામસિક તપસ્યાઓને સ્થાને તેમણે ધ્યાન, ધારણું, સમાધિ અને ઉપવાસ-અનશન આદિ સાત્ત્વિક તપશ્ચર્યાને પ્રચાર કર્યો હતો. વર્ધમાન કુમારે પણ આત્મશુદ્ધિ માટે આ જ સાત્ત્વિક ઉપાય વડે અને પિતાની ઉત્કટ અને સતત અપ્રમત્ત સાધનને બળ આત્મશુદ્ધિ કરી સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy